રાજ્યસભાની ચૂંટણી માથે છે અને કોંગ્રેસની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લેતી. એક તરફ 2 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે પાંચથી વલધુ ધારાસભ્યોનો ક્રોસ વોટીંગનો ડર છે એવામાં વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ હોવાની વાતને પગલે કોંગ્રેસમાં ફફડાટ પેસી ગયો છે. કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ તો કરી નથી રહ્યુ અને પરેશાનીઓ એક પછી એક વધતી જ જાય છે.
કોણ કોણ પહોંચ્યું જયપુર?
કોણે આપ્યા રાજીનામા?
કોણ છે કોંગ્રેસથી નારાજ?
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત નારાજ થયા છે.. વીટીવીની ટીમે નારાજગીને લઈને સવાલ કરતા પ્રતાપ દૂધાતે સ્પષ્ટતા કરી ન હતી. કોંગ્રેસ સાથે હોવાના સવાલનો પ્રતાપ દૂધાતે જવાબ આપ્યો ન હતો. રાજ્યસભાની ચૂંટણીમાં પ્રતાપ દૂધાત છેલ્લી ઘડીએ ક્રોસ વોટિંગ કરી શકે છે. જો પ્રતાપ દૂધાત ક્રોસ વોટિંગ કરે તો ભાજપને ફાયદો થઈ શકે છે.
કોણે આપ્યા રાજીનામા?
ગત મોડી રાત્રે બે કોંગી ધારાસભ્યોએ રાજીનામાની ખબર આવતા હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે.. આજે કોંગ્રેસ દ્વારા કોઈ પણ સમયે ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટથી અન્ય સ્થળે શિફ્ટ કરાશે. સોમા પટેલ અને જે. વી. કાકડિયા હજુ પણ સંપર્ક વિહોણા છે. મોડી રાત્રે 12.30 આસપાસ રાજીનામા આપ્યા હોવાનું બહાર આવ્યું છે. લીંબડીના MLA સોમા પટેલે તેમજ ધારીના જે.વી કાકડિયાએ રાજીનામાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અબડાસાના MLA પ્રદ્યુમન સિંહ જાડેજા પણ સંપર્કવિહોણા છે. કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે.
કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજસ્થાનમાં પહોંચ્યા છે. જોકે જૂનાગઢના કોંગી ધારાસભ્યો હજુ પણ રાજસ્થાનમાં પહોંચ્યા નથી. માંગરોળ અને જૂનાગઢ બેઠકના ધારાસભ્યો હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. જૂનાગઢ બેઠકના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.
કોણ કોણ પહોંચ્યું જયપુર?
1-અજીતસિંહ ચૌહાણ(બાલાસિનોર)
2-રાજેશ ગોહિલ(ધંધુકા)
3-રૂત્વિજ મકવાણા(ચોટીલા)
4-પુનમભાઈ પરમાર(સોજીત્રા)
5-હર્ષદ રિબડીયા(વિસાવદર)
6- બળદેવજી ઠાકોર(કલોલ)
7-ઈન્દ્રજીતસિંહ(મહુધા)
8- લાખાભાઈ ભરવાડ(વિરમગામ)
9- ચંદનજી ઠાકોર(સિદ્ધપુર)
10- નાથાભાઈ પટેલ(ધાનેરા)
11- ચિરાગ કાલરિયા(જામજોધપુર)
12- હિંમતસિંહ પટેલ(બાપુનગર)
13-ગેનીબેન ઠાકોર(વાવ)
14-કાંતિ પરમાર(ઠાસરા)
હવે ગુજરાતના અન્ય કોંગી ધારાસભ્યોને શિફ્ટ થવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. કેટલાક ધારાસભ્યોને હાઈકમાન્ડ દ્વારા શિફ્ટ થવા તૈયાર રહેવાની સૂચના અપાઈ છે.