ગુજરાતના રાજકારણમાં હાલ હલચલ ચાલી રહી છે. ભાજપે તડજોડની નીતિ વાપરીને રાજ્યસભાની બેઠકો ઝબ્બે કરવા કૂટનીતિ વાપરી ત્રીજા ઉમેદવાર તરીકે આયાતી ઉમેદવાર નરહરિ અમીનને ઉભા રાખ્યાં છે. કોંગ્રેસમાં હાલ ધારાસભ્યોને એકમત રાખવા માટે હલચલ શરૂ કરી દેવાઈ છે ત્યારે કોંગ્રેસના નેતાઓના આ મુદ્દે નિવેદન આવ્યા હતા.
"અગાઉ ધમકીઓ અપાઈ હતી""એક પણ ધારાસભ્ય નહી તૂટે": શક્તિસિંહ
નરહરિભાઇના સંપર્કમાં હું પણ છું: અર્જૂન મોઢવાડિયા
ભાજપને બહુ દિવસે નરહરિભાઈ યાદ આવ્યા? સિદ્ધાર્થ પટેલ
કોંગ્રેસના બન્ને ઉમેદવારો જીત થવાની છે. આ ચૂંટણીમાં એક પણ ધારાસભ્ય તૂટશે નહી. ભૂતકાળમાં ધાક-ધમકી, લાલચ અપાઈ હતી. ભાજપ પાસે ત્રીજા ઉમેદવાર માટે નંબર નથી. કોંગ્રેસના કાર્યકરોના કારણે જ મારી પ્રગતિ થઈ છે. અમારી નિયમિતતાને કોઈ પણ ચેલેન્જ નહી કરી શકે.
નરહરિભાઇના સંપર્કમાં હું પણ છું: અર્જૂન મોઢવાડિયા
કોંગ્રેસમાં જૂથવાદ મુદ્દે અર્જૂન મોઢવાડિયાએ ભાજપને વળતો જવાબ આપ્યો છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે ભાજપ કોંગ્રેસમાં વિખવાદની વાત ન કરે. અમારા તમામ ધારાસભ્યો એક છે. નરહરિભાઇના સંપર્કમાં હું પણ છું. પરંતુ તેમને મદદ કરીશ નહીં. ભાજપમાં પણ વિખવાદ ચાલે છે.
ભાજપને બહુ દિવસે નરહરિભાઈ યાદ આવ્યા? સિદ્ધાર્થ પટેલ
ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતાર્યા છે. બહુ સમય પછી ભાજપને નરહરિભાઈ યાદ આવ્યાં છે. પોતાના ધારાસભ્યોને દબાણ હેઠળ ન આવે તે માટે તમામ પ્રયાસ કરાશે. કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ છે. ભાજપમાં ગયેલા કોંગ્રેસના ધારાસભ્યને વોટ કરશુ એવું નથી. 26મી તારીખે બંને કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થશે. હાઇકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવાયો તે સંપૂર્ણ યોગ્ય છે.
ભાજપમાં આનંદી બેનની જેમ નીતિન પટેલનું અપમાન થઇ રહ્યું છે
ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ખરાબ છે. અમે બધા એક જ છીએ. કોંગ્રેસ ની જીત જરૂર થશે. સત્તા સંભાળ્યા બાદ પણ હજી ભાજપને ડર છે. ભાજપમાં આનંદી બેનની જેમ નીતિન પટેલનું અપમાન થઇ રહ્યું છે.