ગુજરતમાં રાજયસભાનું ઈલેકશન રસપ્રદ બન્યુ છે. કોંગ્રેસના ધારાસભ્યો તુટવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપે પહેલેથી જ રણનીતિ તૈયાર કરી દીધી છે જ્યારે કોંગ્રેસ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિનો હરહંમેશની જેમ ભોગ બન્યુ છે. શું કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી શકશે? એક તરફ NCPના નેતા કાંધલ જાડેજા ભાજપના ખોળે બેઠા હોવાની ચર્ચા છે એવામાં 2 કોંગી ધારાસભ્યોના રાજીનામા અને હજુ વધુ ધારાસભ્યો તુટશે તો કોંગ્રેસને ભાગે એક જ બેઠક આવી શકે અને ભાજપ 3 બેઠક જીતી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ગઇકાલે 14 ધારાસભ્યોને લઇ જવાયા છે જયપુર
આજે સાંજે પણ કેટલાક ધારાસભ્યોને લઇ જવાશે જયપુર
રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિને લઈને કોંગ્રેસ એલર્ટ થઈ છે
2ના રાજીનામાં બાદ જાગી કોંગ્રેસ
ખજુરિયા, હજુરિયા અને હવે જયપુરિયા. પણ કોંગ્રેસની કોઈ ડેમેજ કંટ્રોલ નીતિ સફળ થાય તેમ લાગતુ નથી. કેમ કે જીતનુ રાજકારણ કહે છે કે, કોંગ્રેસને બે બેઠક માટે 74 ધારાસભ્યોના મત જોઈએ છે જ્યારે કોંગ્રેસ પાસે 73 હતા તેમાંથી 2 જણાએ રાજીનામાં આપ્યા અને કેટલાક ક્રોસ વોટીંગ કરશે એટલે કોઈ કાળે કોંગ્રેસનું આ મિશન સફળ થાય એવું લાગતુ તો નથી પરંતુ જો કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને ખેંચી શકે તો વાત બને.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજસ્થાનમાં પહોંચ્યા છે. જોકે જૂનાગઢના કોંગી ધારાસભ્યો હજુ પણ રાજસ્થાનમાં પહોંચ્યા નથી. માંગરોળ અને જૂનાગઢ બેઠકના ધારાસભ્યો હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. જૂનાગઢ બેઠકના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.
કોણે આપ્યા રાજીનામા?
ગત મોડી રાત્રે બે કોંગી ધારાસભ્યોએ રાજીનામાની ખબર આવતા હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે.. આજે કોંગ્રેસ દ્વારા કોઈ પણ સમયે ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટથી અન્ય સ્થળે શિફ્ટ કરાશે. સોમા પટેલ અને જે. વી. કાકડિયા હજુ પણ સંપર્ક વિહોણા છે. મોડી રાત્રે 12.30 આસપાસ રાજીનામા આપ્યા હોવાનું બહાર આવ્યું છે. લીંબડીના MLA સોમા પટેલે તેમજ ધારીના જે.વી કાકડિયાએ રાજીનામાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અબડાસાના MLA પ્રદ્યુમન સિંહ જાડેજા પણ સંપર્કવિહોણા છે. કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે.
હવે ગુજરાતના અન્ય કોંગી ધારાસભ્યોને શિફ્ટ થવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. કેટલાક ધારાસભ્યોને હાઈકમાન્ડ દ્વારા શિફ્ટ થવા તૈયાર રહેવાની સૂચના અપાઈ છે.
બીજા ગૃપમાં કોનો સમાવેશ
ધારાસભ્ય મહેશ પટેલ
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ
દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયા
વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી,
તળાજાના ધારાસભ્ય અજીત ચૌધરી,
ઉમરાળાના ધારાસભ્ય પ્રવિણ મારુ,
ધારાસભ્ય સુખરામ જેઠવા
મોહનસિંહ રાઠવાને
કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો રાજસ્થાનમાં પહોંચ્યા છે. જોકે જૂનાગઢના કોંગી ધારાસભ્યો હજુ પણ રાજસ્થાનમાં પહોંચ્યા નથી. માંગરોળ અને જૂનાગઢ બેઠકના ધારાસભ્યો હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. જૂનાગઢ બેઠકના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા હજુ પણ પોતાના નિવાસ સ્થાને છે. ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ શરૂ થતા જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલ્યા છે.