કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અને હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના જ બે ઉમેદવારો વચ્ચે રાજ્યસભાનો જંગ જામશે. 4 ધારાસભ્યોના રાજીનામાથી એક જ સભ્ય રાજ્યસભા પહોંચે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
રાજ્યસભાની ચૂંટણીનો જંગ, કોંગ્રેસને મોટો ઝટકો
કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા
કોંગ્રેસને બે સીટ જીતવી મુશ્કેલ!
હજુ કેટલા આપશે રાજીનામા?
4 MLAના રાજીનામાંથી શું થાય?
હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસનું સંખ્યાબળ 69 થયું. કોંગ્રેસના પોતાના 73 ધારાસભ્યો છે અને 1 અપક્ષ ધારાસભ્યનો મત હતો. આમ અપક્ષ મેવાણી સાથે ગણીએ તો 69 ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે
4નાં રાજીનામા પછી ધારાસભ્યનું સંખ્યાબળ 176 પર આવીને ઉભું છે
176 પ્રમાણે 1 બેઠક જીતવા 36 મતની જરૂર પડે જે કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસને બે બેઠક જીતવા માટે 72 મતની જરૂર પડે. આમ કોંગ્રેસના પહેલા ઉમેદવારને 36 મત મળે તો બાકી 33 મત રહે. 33 ધારાસભ્યો બીજા ઉમેદવારને બગડા પ્રમાણે મત આપે. આમ કોંગ્રેસને બીજો ઉમેદવાર ચૂંટવો હોય તો 34 બગડા જોઈએ.
ભાજપની સ્થિતિ
જ્યારે કે ભાજપ પાસે બે એકડાવાળા સભ્યો જીતી જાય તો 34 મત બચે છે. ભાજપ પાસે 103 પોતાના, BTP 2 અને NCP 1ના એક એમ 106 ધારાસભ્યો છે. કોંગ્રેસના 33 અને ભાજપના બગડા 34 થાય તેવા સંજોગોમાં ભાજપનો ઉમેદવાર જીતે. કોંગ્રેસના 4 ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામા આપી ચૂક્યા છે.
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે