ગુજરાતમાં રાજ્યસભા ઈલેક્શનો જંગ ચાલુ થઈ ગયો છે જેના શ્રી ગણેશ આજે ઉમેદવારોએ ફોર્મ ભરીને કર્યા હતા. જો કે બેઠક 4 જ છે અને ઉમેદવારો 5 છે. ભાજપને 3 બેઠક જીતી જવાનો વિશ્વાસ છે જ્યારે કોંગ્રેસમાં જ્ઞાતિવાદ આધારિત ટિકિટો ન ફાળવાતા અમુક સમાજના નેતાઓ ખફા છે. ત્યારે જોવું રહ્યુ કે આ રાજ્યસભાની ચૂંટણી શું રંગ લાવે છે
કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને બનાવ્યા ઉમેદવાર
રાજ્યસભાના ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી . ભાજપે 3 ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. આયાતી ઉમેદવાહ નરહરિ અમિન, અભય ભારદ્વાજ, રમીલાબેન બારાને ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે ઉમેદવારના ડમી ઉમેદવાર રાખ્યા
અભય ભારદ્વાજ સામે દિનેશ મકવાણા બન્યાં ડમી ઉમેદવાર
રમિલાબેન બારા સામે કિરીટસિંહ રાણા ડમી ઉમેદવાર
નરહરિ અમીન સામે અમદાવાદના પૂર્અવ મેયર અમિત શાહ ડમી
કોંગ્રેસના ઉમેદવારોએ પણ ભર્યા ફોર્મ
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવી. નાયબ સચિવ CB પંડ્યા સમક્ષ ફોર્મ ભરતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે કે, ભાજપ જે રીતે કામ કરે છે તે બધા જાણે જ છે. આ ચૂંટણીમાં ભાજપની તોડજોડની રાજનીતિ ચાલવાની નથી. કોંગ્રેસના બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસના ધારાસભ્યો નિષ્ઠાવાન, પ્રમાણિત છે. આ ચૂંટણીમાં બન્ને ઉમેદવારોને કોઈ પરેશાની થવાની નથી.
26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે