રાજ્યસભાની ઉમેદવાર ભરવા માટે બે દિવસ બાકી છે. જો કે હજુ પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરાયા. હોળાષ્ટક બાદ પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરવાની હતી. ત્યારે હવે આવતીકાલે બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીનો જંગ
બંને પાર્ટીઓ નામ કરશે જાહેર
કોંગ્રેસની નવા નામ પર વિચારણ
ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચર્ચામાં
કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા માટે લોબિંગ થયું છે. તો કનુભાઇ કળસરિયા અને સિદ્ધાર્થ પટેલ માટે પણ લોબિંગ કરાયું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી નવા નામ પણ પર પણ વિચારણા કરી શકે છે. તો ભાજપમાં દલિત અને ક્ષત્રિય ઉમેદવાર પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.
ભાજપ રિપિટ કરશે જુના જોગી
ભાજપ દલિત નેતા શભુ પ્રસાદ તૂંડિયાને પાર્ટી ફરીવાર રિપિટ કરી શકે છે. જ્યારે આત્મારામ પરમાર, રમણલાલ વોરાનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત ક્ષત્રિય નેતા આઇકે જાડેજા, કિરિટસિંહ રાણાનું નામ અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચર્ચામાં છે. જો કે આવતીકાલે સાંજ સુધીમાં બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા બાદ જ તમામ સ્થિતિ સ્પષ્ટ થશે.
રાજ્યસભામાં જ્ઞાતીગત પરિબળ હાવી
રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવાર છેલ્લા દિવસે ફોર્મ ભરશે. પસંદગીમાં જ્ઞાતીગત પરિબળ હાવી થતા અટવાઈ છે. પાટીદાર અને OBC ધારાસભ્યોની માંગણીઓ અલગ-અલગ છે.
ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા માટે લોબિંગ થઈ રહ્યું છે.
આવતીકાલે નામ ફાઈનલ થશે
કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, કલસરિયા માટે લોબિંગ થયું છે. 12 માર્ચ રાત સુધી હાઇકમાન્ડ ફાઇનલ નામ પર મહોર મારશે. અંતિમ તારીખે કોંગ્રેસના બંને ઉમેદવાર ફોર્મ ભરશે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે