ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દરવખતની જેમ ભાજપ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યોનું ક્રોસવોટીંગ કરાવીને પણ 3 બેઠકો જીતવા માંગે છે. અહેમદ પટેલવાળી ફરીથી દોહરાવાશે કે શું તેવી પણ ચર્ચા થઈ રહી છે.
રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમિનનું મહત્વનું નિવેદન
ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનની કરી છે પસંદગી
રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. નરહરિ અમિને કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વએ મને ફોર્મ ભરવાનું કહ્યું છે. ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થશે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલે છે. અને જૂથબંધીના કારણે કોંગ્રેસની પડતી થઇ છે.
કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની કરી વાત
કોંગ્રેસનો આંતરિક વિવાદ અમને જીતાડશે. હું દરેક ધારાસભ્યોને મળીશ. ત્રીજી બેઠક જીતવા કોઇ તકલીફ પડશે નહીં. કોંગ્રેસના અનેક આગેવાનો અમારા સંપર્કમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનની પસંદગી કરી છે.
ભાજપના ઉમેદવાર
અભય ભારદ્વાજ
રમિલા બેન બારા
નરહરિ અમીન
કોંગ્રેસના ઉમેદવાર
શક્તિસિંહ ગોહિલ
ભરતસિંહ સોલંકી
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે