ગુજરાતમાં પેપર ફૂટવું એક ગૌણ બાબત થઈ ગઈ છે. અત્યાર સુધી 10 એવી ભરતી પરીક્ષાઓ છે જેના પેપર ફુટ્યા છે. ત્યારે આજેપણ PGVCLની પરીક્ષાના પેપરના સિલ તૂટેલા મળતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મેદાને આવ્યા છે.
ગુજરાતમાં વધુ એક પેપરકાંડ?
રાજકોટની શાળામાં પેપર ફુટ્યું હોવાના વિદ્યાર્થીઓએ કર્યા આક્ષેપ
આજે યોજાઈ હતી PGVCLની પરીક્ષા
ગુજરાતમાં હેડક્લાર્ક પેપર લીક કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિ.નું બી કોમ સેમેસ્ટર 3નું પેપર લીક થયું હતું જે બંને પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલી PGVCLની પરીક્ષાના પેપરનું સિલ તૂટેલા મળતા વધુ એક પેપર કાંડના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
યુવરાજ સિંહે આપ્યું નિવેદન
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા સમગ્ર મામલે મેદાને આવ્યા હતા અને તેમણે રાજ્યમાં બનેલી તૂટેલા સિલવાળા પેપેરની ઘટનાને વખોડી હતી અને સમગ્ર મામલે તપાસના માગણી કરી હતી. સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, પ્રિન્ટીંગ પ્રેસથી લઈને સ્ટ્રોંગ રૂમની પણ કડક રીતે તપાસણી થવી જોઈએ.
એક સામટા 20 ઉમેદવારોને તૂટેલા સિલ વાળું પેપર મળતા અનેક તર્ક વિતર્ક
ઉમેદવારે દાવો કર્યો છે કે, પેપર ઉમેદવારના હાથમાં આવ્યું ત્યારે તેનું સિલ તૂટેલું હતું, આવું એક નહીં પરંતુ 20 ઉમેદવારોને મળેલા પેપરમાં જોવના મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જો કે, સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે પ્રતિભાવ આપવામાં આવ્યા નથી.
રાજકોટની કાંતિલાલ અમૃતલાલ સ્કૂલમાં બની ઘટના
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વિવિધ કેન્દ્ર પર સવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની કાંતિલાલ અમૃતલાલ સ્કૂલમાં 20 જેટલા વિદ્યાર્થીઓને તૂટેલા સિલ વાળું પેપર મળતા હડકંપ મચી જવા પામ્યો હતો. યુવરાજ સિંહે આપ્યું નિવેદન
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા સમગ્ર મામલે મેદાને આવ્યા હતા અને તેમણે રાજ્યમાં બનેલી તૂટેલા સિલવાળા પેપેરની ઘટનાને વખોડી હતી અને સમગ્ર મામલે તપાસના માગણી કરી હતી. સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, પ્રિન્ટીંગ પ્રેસથી લઈને સ્ટ્રોંગ રૂમની પણ કડક રીતે તપાસણી થવી જોઈએ.
શાળા પર ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ પહોંચી
બનાવ અંગેની જાણ થતાં જ રાજકોટ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને રાજકોટ સ્થિત કાંતિલાલ અમૃતલાલ સ્કૂલમાં તપાસાર્થે પહોંચી હતી.
એડી.જનરલ મેનેજરનું નિવેદન
PGVCLની પરીક્ષાનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ પર બોલ્યા એડી.જનરલ મેનેજરે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમમે જણાવ્યું કે, પેપર પ્રિન્ટીંગ બાદ મશીનથી સીલ થતું હોય છે અને પેપરનું બોક્સ સીલ જ હતું અને બ્લોકમાં ગયા ત્યારે પણ પેપર સીલ જ હતા.
સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, અમારી પાસે તમામ પ્રક્રિયાના રેકોર્ડિગ છે. પેપર કોઈપણ રીતે ફુટ્યું નથી અને આજે યોજાયેલી PGVCLની પરીક્ષામાં કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ.
અત્યાર સુધીમાં રાજ્યમાં ફુટેલા પેપરની વિગત
2016માં મુખ્ય સેવિકાનું પેપર ફટ્યું
2017માં તલાટી મંત્રીનું પેપર ફૂડ્યું
2017માં પ્રાથમિક શિક્ષકો માટેની પરિક્ષાનું ટેટનું પેપર ફૂડ્યું
2018માં હાયર સેકન્ડરીનું ટાટનું પેપર ફૂડ્યું
2018માં નાયબ ચીટનીશનું પેપર ફટ્યું
2018માં વન રક્ષકની પરિક્ષાનું પેપર કેન્સલ કરવામાં આવ્યું