રાજકોટના ચાર વોર્ડમાં બે લાખ વસતીને આજે પાણી નહીં મળે
રાજકોટમાં ચંદ્રેશનગર, માયાણીનગર, મહુડી વિસ્તારમાં પાણીકાપ
વરસાદ ભલે વરસે પણ મનપાનું પાણી આજના દિવસે રાજકોટ અને અમદાવાદને નહીં મળે. પાઈપલાઈનમાં ગરબડ હોવાને કારણે તેના રિપેરીંગ બાદ જ પાણી છોડવામાં આવશે.
કયા કયા વિસ્તારમાં નહીં મળે પાણી
રાજકોટના ચાર વોર્ડમાં બે લાખ વસતીને આજે પાણી નહીં મળે. રાજકોટમાં ચંદ્રેશનગર, માયાણીનગર, મહુડી વિસ્તારમાં પાણીકાપ છે.
કેમ રહેશે પાણી બંધ
પાણીની પાઈપાઈપલાઈનમાં રિપેરિંગને કારણે પાણીકાપ છે. જેવું રિપરીંગ પતે કે રાજકાટવાસીઓને પાણી પહોંચાડી દેવામાં આવશે.
અમદાવાદમાં આજે સાત લાખ લોકોને પાણી નહીં મળી.
અમદાવાદના 3 ઝોન અને 6 વોર્ડમાં આજે પાણીકાપ છે.
મોટેરા, રાણીપ, ચાંદખેડા, સરખેજ, વેજલપુર, વાસણામાં પાણીકાપને લીધે આજે મનપા દ્વ્રારા અપાતુ પાણી નહીં આપવામાં આવે.
કેમ નહીં મળે પાણી
જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રિપેરીંગને પગલે પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ પ્લાન્ટ રીપેર થતાની સાથે જ અમદાવાદીઓને પાણી પહોંચાડાશે. આવતી કાલે રાબેતા મુજબ પાણી મળશે