ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપને પણ પોતાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ડર જોવા મળી રહ્યો હતો. જેને લઇને રાજ્યસભાની ચૂંટણીમાં પ્રોક્સી મતની વ્યૂહરચના અપનાવી હતી. જેમાં ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી મત શંકર ચૌધરીએ આપ્યો હતો. જો કે ગાંધીનગરમાં એક ચર્ચાએ જોર પકડી લીધું હતું કે શું સાચે ભાજપના નેતા કેસરીસિંહ સોલંકી બિમાર પડ્યાં હતા? સૂત્રોના જણાવ્યાં અનુસાર ગઇકાલે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ એકદમ સાજા હતા.
રાજ્યસભાની ચૂંટણી રસાકસી ભરી બનતી જઇ રહી છે. બીમાર ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી મત શંકર ચૌધરીએ આપ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કેસરીસિંહ ક્રોસ વોટિંગ કરે તેવી ચર્ચાઓ વચ્ચે તેઓ અચાનક બીમાર પડી ગયા. ત્યારે ક્રોસ વોટના ભયથી ભાજપ દ્વારા વ્યૂહરચના કરવામાં આવી હોવાનું માનવામાં આવી હતી.
રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા કેસરીસિંહ બિમાર થયા. ત્યારે ગઇકાલે કેસરીસિંહ એકદમ સાજા હતા. અને આજે અચાનક તેઓ બીમાર પડી જાય છે. ત્યારે મળતી માહિતી મુજબ કેસરીસિંહના કેસમાં NCPના કાંધલ જાડેજાની મોટી ભૂમિકા રહી છે. મંત્રી હકુભા જાડેજા અને કાંધલ જાડેજાની મહત્વની ભૂમિકા રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
મળતી માહિતી મુજબ ગઈકાલે આખો દિવસ કેસરીસિંહ હકુભા સાથે રહ્યા હતા. રાત્રે મહત્વની મિટિંગ બાદ NCPના ધારાસભ્ય કેસરીસિંહને ઘરે મુકવા ગયા હતા. કેસરીસિંગ ક્રોસ વોટિંગ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસરીસિંહને સમજાવ્યા હતા. જો કે બાદમાં ભાજપને ક્રોસ વોટિંગનો ડર લાગતા વ્યૂહરચા ઘડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.