દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જ્યારે ગુજરાતમાં 23 તારીખના રોજ મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાતની જનતા પર ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બોજ પડશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યની જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. વીજ કંપનીઓ દ્વારા વીજદરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિટ દિઠ 22 પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો કરાયો છે.
મહત્વનું છે કે વીજ કંપનીઓ દ્વારા વીજદરમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાવ વધારાને કારણે તેનો સીધો બોજ ગુજરાતની જનતા પર પડશે.
અગાઉ વીજ દરમાં યુનિટ દીઠ ર8 પૈસાનો વધારો કરાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની હેઠળ ચાલતી 4 વીજ કંપનીઓ દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ કંપનીઓ દ્વારા યુનિટ દીઠ 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વીજદરના ભાવ વધારાના કારણે જનતા પર દર મહિને કરોડોનો બોઝ પડશે.