એક તરફ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ ક્યાર વાવાઝોડાને લીધે ખતરો ઉભો થયો છે. તો બીજી તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વલસાડ અને સુરતમાં કમોસમી વરસાદ થયો છે.
વલસાડમાં વાતાવરમ પલટાયું
વલસાડ જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. વલસાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.
વલસાડના તિથલ દરિયા કિનારે લોકો ઉમટ્યા
વલસાડના તિથલના દરિયા કિનારે લોકો ઉમટી પડ્યાં છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન અપાયું છે. માછીમારોને પણ દરિયામાં ન જવા કહેવાયું છે. ત્યારે તંત્રની સૂચના બાદ પણ લોકો દરિયામાં ન્હાવા જઇ રહ્યાં છે. જો કે તિથલના દરિયામાં વાવાઝોડાની અસર નહિવત છે. તિથલના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા છે.
સુરતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો
સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના ભાગલ, નાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સંગ્રામપુરા વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. સુરતમાં પણ કયાર વાવાઝોડાની અસર જોવા મળી છે. આથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ક્યાર વાવાઝોડું ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થઇ શકે છે. ગુજરાતમાં મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં કરંટ નહીંવત જોવા મળ્યો છે. સુવાળીના દરિયામાં 5થી 7 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યાં છે. આ અંગે અલર્ટ પણ આપવામાં આવ્યુ છે. તેમજ માછિમારોને દરીયો ન ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
પોરબંદર
પોરબંદરના બરડા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, પોરબંદરના ફટાણા, મજીવાણા, શીશલી, સિંગડા ગામે કમોસમી વરસાદ પડ્યો. વાવાઝોડાની અસરને કારણે વરસાદી ઝાપટા પડ્યા. જામજોધપુર પંથકમાં વરસાદ થયો છે. પોરબંદર-જામજોધપુર વચ્ચે ગ્રામ્ય પંથકમાં વરપસાદી ઝાપટા પડ્યાં હતાં. તરસાઈ અને વાંસજાળીયા સહિતના ગામડાઓમાં વરસાદ થયો છે. આ સાથે ખરીફ પાકને નુકસાની થવાની શકયતા છે.
જામનગરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ, વાવાઝોડા ક્યારનો ખતરો
જામનગરના બંદરો પર ક્યાર વાવાઝોડાનો ખતરાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જામનગરના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે. GMB, ફિશરીઝ વિભાગને એલર્ટ કરાયા છે. મરિન પોલીસ સહિતની એજન્સીઓ અલર્ટ કરાઇ છે. જામનગરના સચાણા, સિક્કા બંદર પર પણ 2 નંબરનું સિગ્નલ અપાયું છે.
અમદાવાદ
અમદાવાદમાં દિવાળીને દિવસે વરસાદી છાંટા પડ્યા છે. અમદાવાદ વિસ્તારના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અમદાવાદના રખિયાલ, બાપુનગર, હાટકેશ્વરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા.
અરબી સમુદ્રમાં ઉદભવેલ ક્યાર વાવાજોડાનો ખતરો
સૌરાષ્ટ્રના સાગરકિનારા પર મંડરાઈ રહ્યો છે. જેને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ફીસરીઝ તંત્ર સાબદું થયું છે. તહેવારની મોષમ વચ્ચે પણ આ બંને તંત્ર દ્વારા સચેતભરી કામગીરી હાથ ધરવામાં આવી છે. વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો ગઈ કાલ સુધી લગાવાયેલ એક નંબરની સિગનલ હટાવી લેવાયું છે. વાવાજોડાની દિશાને લઈને તંત્ર દ્વારા બે નમ્બરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જીલ્લાના તમામ બંદર પર બે નંબરનું સગ્નલ છે. જામનગર જીલ્લાના સિક્કા, બેડી, રોઝી અને સચાણા બંદર પરથી માછીમારી કરવામાં ગયેલ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. મોટાભાગની બોટ આજ રાત સુધીમાં બંદર પર આવી જશે.
નવસારી
નવસારીમાં મુશળધાર વરસાદ પડ્યો છે. નવસારીમાં કમોસમી વરસાદના કારણે લોકોને પરેશાની થઇ રહી છે. દિવાળી સમયે વરસાદ પડતા લોકોને હાલાકી પડી છે.
રાજકોટ
જામકંડોરણામાં કમોસમી વરસાદ થયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આથી લોકોની વધી ચિંતા છે.