ક્યાર વાવાઝોડાનું જ્યારે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદી માહોલ જોવા મળ્યો. જો કે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે.
આગામી 5 દિવસ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ પણ થઈ છે સક્રીય
24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ થઇ સક્રિય
આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ક્યાર વાવાઝોડું 200થી 210 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ પણ સક્રીય થઈ છે. જે લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ જશે. જે આગામી 24 કલાક બાદ તે ડિપ્રેશન અને બાદમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે.
રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
ક્યાર વાવાઝોડુ ઓમાન તરફ ભલે ફંટાયુ હોય પણ તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં ગતરાત્રિએ જોવા મળી હતી. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.
રાજ્યમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે દરિયા કિનારાઓ પર બંદરોમાં બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અસર
ક્યાર વાવાઝોડાની અસર હેઠળ ગઇકાલે મોડીરાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી
વાવાઝોડુ ક્યાર ઓમાન તરફ ફંટાયું છતા તેની અસર સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી. જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. જેમાં રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધારે જેતપુર તાલુકામાં નોંધાયો.