ટ્રેન ધીમી પાડી પાયલોટ પોતે રસ્તા પર ફાટક આડે દોરી બાંધી દે છે. છેલ્લા ઘણા સમયથી ફાટક ખુલ્લા હોવાનો વાહન ચાલકોનો આક્ષેપ
સુરેન્દ્રનગરના પાટડીમાં ફાટક ખુલ્લા હોવાનું સામે આવ્યું
જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
સુરેન્દ્રનગરના પાટડી પાસે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર ટ્રેન પસાર થવાના સમયે ફાટક ખુલ્લા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફાટક ખુલ્લો જ હોવાથી વાહન ચાલકોનો જીવ જોખમાં મુકાયો હતો. આ તરફ એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા હાલ સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં આ વીડિયોને લઇ ચકચાર મચી ગઈ છે.
ટ્રેન આવે છે પણ ફાટક બંધ નથી કરાતો
સુરેન્દ્રનગરમાં રેલવે તંત્રની ઘોર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. પાટડી નજીક એક રેલવે ફાટક ખુલ્લો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ફાટક ખુલ્લા છતાં રેલવે ટ્રેક પર ટ્રેન પસાર થઇ રહી છે. ટ્રેન પસાર થતા સમયે ખુલ્લા ફાટકથી લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી ફાટક ખુલ્લા જ હોય છે. આ સાથે ટ્રેન ધીમી પાડી પાયલોટ પોતે રસ્તા પર ફાટક આડે દોરી બાંધવા મજબૂર બન્યા હોવાના પણ આક્ષેપ થયા છે.
VTV ગુજરાતીના સળગતા સવાલો
સુરેન્દ્રનગરમાં રેલવે તંત્રની ઘોર બેદરકારી
રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે અનેક સવાલો
ટ્રેન પસાર થઇ રહી છે છતાં ફાટક કેમ છે ખુલ્લા ?
કોઇ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર ?
શું રેલવે તંત્રને લોકોના જીવની કોઈ ચિંતા નથી ?
અવાર-નવાર સોશિયલ મીડિયામાં ટ્રેન દુર્ઘટનાના વીડિયો સામે આવતા હોય છે. જોકે સુરેન્દ્રનગરના પાટડી પંથકના વીડિયોને લઇ હાલ સ્થાનિકોમાં રેલ્વે તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉભા થયા છે.