ગુજરાતમાં ઔર એક ભરતી વિવાદની સંભાવનાઓ સામે આવી છે.
PSIની ભરતી પરીક્ષાને લઇ વિવાદના ભણકારા
ભરતી પરીક્ષાના નિયમને લઇ અસમંજસતા
ભરતીમાં હોશિયાર ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ
ગુજરાતમાં ભરતીઓ નથી થતી એટલા તો ભરતી-વિવાદ થાય છે. નિયમોને લઈને આ ભરતી વિવાદ સામે આવ્યો છે.
રાજ્યમાં PSIની ભરતી પરીક્ષાને લઇને વિવાદના ભણકારા વાગી રહ્યાં છે. ભરતી પરીક્ષાના નિયમને લઇ અસમંજસતા જોવા મળી રહી છે. ભરતીમાં હોશિયાર ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ છે.
કુલ જગ્યાના 15 ગણા અથવા તમામને તક અપાશે
દોડ પાસ કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષાની તક મળશે નહીં. કુલ ભરતીના 15 ગણા ઉમેદવારોને લેખિત માટે બોલાવાશે. કુલ જગ્યાના 15 ગણા અથવા તમામને તક અપાશે. જે સંખ્યા ઓછી હશે તેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
15 ગણા ઉમેદવાર બોલાવાશે તો?
જો 15 ગણા ઉમેદવાર બોલાવાશે તો અન્ય ઉમેદવારોને તક મળશે નહીં. PSIની 1382 જગ્યાઓના 15 ગણા એટલે 20 હજાર 730. જો 20 હજાર 730થી વધુ ઉમેદવારો દોડ પાસ કરશે તો લેખિત આપી શકે નહીં.