રૂપાણી સરકારે શિક્ષકોની બદલીને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી રાજ્યના હજારો શિક્ષકોને લાભ થશે. તો મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર
મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા સરળ બનાવાઇ
બદલીમાં હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય
રાજ્ય સરકારે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.
ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 શિક્ષકોની અલગ અલગ સિનિયોરિટી ગણાશે.
પ્રાથમિક શિક્ષકોની બદલીમાં હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણવામાં આવે.
સચિવાલય નહીં, તમામ સરકારી કર્મચારી શિક્ષક પત્નીને નિમણૂંકના 3 વર્ષમાં જ બદલીની તક મળી શકશે.
શિક્ષક પત્ની કે પતિને 3 વર્ષમાં જ બદલીની તક મળી શકશે
ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂંક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેમના શિક્ષક પત્ની કે પતીને બદલીનો લાભ આપવામાં આવશે.
ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂંક કરવામાં આવશે. આ સિવાય જિલ્લાફેર બદલી સમયે મહિલાનો મોટો લાભ મળશે કે તેમના પ્રતિનિયુક્તિ દરમિયાનનું સ્થળ નહીં પરંતુ લગ્ન નોંધણી સ્થળને ધ્યાનમાં લેવાશે. આનો તમામ સરકારી કર્મચારીની શિક્ષક પત્નીઓને લાભ મળશે. મહત્વનું છે કે અગાઉ માત્ર સચિવાલયના કર્મચારીઓની પત્નીને લાભ મળતા હતો.