ગુજરાત કોંગ્રેસનું માળખું વેરવિખેર સ્થિતિમાં છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હાલ દિલ્હીમાં હાઈકમાન સાથે બેઠક કરવા પહોંચ્યા છે.
કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ
અમિત ચાવડા દિલ્લીમાં
હાઈકમાન્ડ સાથે ચાવડાની બેઠક
એક તરફ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ પ્રદેશ માળખામાં મોટો ફેરફાર થવાના એંધાણ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ ગુજરાત કોંગ્રેસ હાલ વેરવિખેર સ્થિતિમાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવાત કોંગ્રેસમાં મોટા પાયે નવા જૂની થવાના એંધાણ છે. સીએમ રૂપાણીના રાજીનામાં બાદ કોંગ્રેસ વેઇટ એન્ડ વોચ સ્થિતિ પણ અપનાવી શકે છે.
અમિત ચાવડાને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું
ગુજરાતનું રાજકારણ હાલ ચકડોળે ચડ્યું છે. ભાજપ હવે નવા સીએમની શોધમાં છે તો કોંગ્રેસ પણ પોતાના પ્રદેશ અધ્યક્ષના પદ પરથી અમિત ચાવડાને બાય બાય કરી શકે છે. રાજગારમાં ગરમાવા વચ્ચે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે બેઠક કરી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા ભવિષ્યનું આયોજન કરશે. મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસનું માળખું વેરવિખેર સ્થિતિમાં છે. અને આ અગાઉ કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ દિલ્લીમાં મુલાકાત કરી ચુક્યા છે. ત્યારે એવી પણ શકયતા સેવાઇ રહી છે કે ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. પણ ભાજપની વ્યુહરચનાનો તાગ મેળવી વેઇટ એન્ડ વોચ મોડ અપનાવી થોડા દિવસ રાહ પણ જોઈ શકે છે.
રૂપાણીના રાજીનામાં પર અમિત ચાવડાનું નિવેદન
રૂપાણીના રાજીનામાં પર અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થીક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે,ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. સાથે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું છે અને આનંદીબેન બાદ વિજયભાઈ ને પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરવાના દેવાયો છે વધુમાં ભાજપ પર નિશાન શાધતા કહ્યું હતું કે આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો તેમજ ફોટો સરકારની તમામ નિષ્ફળતા છુપાવવા વિજયભાઈનું રાજીનામું દેવાયું છે પાંચ વર્ષની ઉજવણી સમયે જ નક્કી હતું કે વાજતે ગાજતે વિદાય થઇ રહી છે, આમ ભાજપને આડે હાથ લેતા અમિત ચાવડાએ મોટા પ્રહાર કર્યા હતા પણ કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ ડૂબતી નાવ જેવી છે જેને બચાવવા અમિત ચાવડાએ પણ પદનો ત્યાગ કરવો પડી શકે તેમ છે.