ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોએ ગુજરાતના શાંતીપ્રિય સ્વભાવનો હિંસક પરચો હતો. આ રમખાણોમાં 1,025 લોકોના જીવ ગયા હતા. જીવ ગુમાવનાર હિન્દુ અને મુસલમાન બંને હતા. નાણાવટી પંચ અનુસાર ગોધરાકાંડ બાદ સૌથી વધુ રમખાણો અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. એ સિવાય કયા જિલ્લામાં કેટલા કેસ થયા અને મોત થયા તેની પણ આ રિપોર્ટમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
પોલીસ ફાઈરીંગમાં 189ના મોત થયા હતા
197 હિન્દુઓના મોત થયા હતા જ્યારે 826 મુસ્લિમોના મોત
ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોમાં 1025 લોકોના મોત થયા હતા
પોલીસ ફાઈરીંગમાં 189ના મોત થયા હતા જેમાંથી 76 હિન્દુ હતા અને 113 મુસલમાન હતા. બાકીના 836 મોતમાં 121 હિન્દુના મોત થયા હતા જ્યારે 713 મુસ્લિમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે આમ જોવા જાવ તો 1025 લોકોમાં 197 હિન્દુઓના મોત થયા હતા જ્યારે 826 મુસ્લિમોના મોત થયા હતા.
ગોધરામાં કાર સેવકો ભરેલો 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો કોચ S- 6 સળગાવવામાં આવ્યો હતો. જેને પગલે સમગ્ર ગુજરાતમાં કોમીરમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં અમદાવાદમાં હાઈએસ્ટ બનાવો બન્યા હતા જ્યારે ડાંગમાં એકપણ બનાવ બન્યો નહતો.
અમદાવાદમાં સૌથી વધુ કેસ
અમદાવાદ જિલ્લામાં આ અંગેના 998 કેસ નોધાયા છે જેમાં 475 લોકોના મોત થયા હતા જ્યારે 1, 103 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમદાવાદ બાદ વડોદરાનો નંબર આવે છે. વડોદરામાં 839 કેસ નોંધાયા છે જેમાં 57 લોકોના મોત થયા હતા અને 252 લોકો ઘાયલ થયા હતા.