હાલમાં ગુજરાત રાજ્યમાં લૉકડાઉન હળવું કરાયા બાદ અનેક પ્રકારની છુટછાટ અને રાહત આપવામાં આવી છે. સરકારી કચેરીઓમાં અગાઉની જેમ ફરી ધમધમાટ શરુ થઇ ગયો છે જ્યારે બજારો પણ ધમધમતી થઇ ગઇ છે. ત્યારે લૉકડાઉનની સ્થિતિને લઇને ગુજરાતના બંદર અને વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાત બંદરો અને વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય
મોટર વાહન વેરા ભરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો
હવે 30 જૂન સુધી ભરી શકાશે મોટર વાહન વેરો
લૉકડાઉનની સ્થિતિના કારણે લોકો વાહન વેરો પણ સમયસર ભરી શક્યા નથી. જેના પગલે વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.30 મે સુધીની રાહત આપી છે. વાહન વેરામાં સમય લંબાવવામાં આવ્યો છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર, વાહન વેરા ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 જૂન સુધી મોટર, વાહન વેરો ભરી શકાશે. જેથી મોટર અને વાહન ચાલકો વધુ સમય મળતા રાહત થશે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશે અને વેરો ભરવામાં પણ સમય મળશે.