ગુજરાતના દરેક બંદર ઉપર કોરોના વાયરસને રોકવા માટે બહારથી આવતા દરેક શીપમેન્ટનું સ્કીનીંગ કરવાના આદેશ અપાયા છે અને તેને સંપૂર્ણ રીતે પાળવામાં આવી રહ્યા છે. દરેક બંદર ઉપર સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યા છે.
હેલ્થ વિભાગ દ્વારા દરેક એન્ટ્રી પોર્ટ પર સ્કેનિંગ કરાઈ રહ્યુ
શું કહે છે ગુજરાત મેરીટાઈમ વિભાગ?
શંકાસ્પદ પેસેન્જર્શ અને ક્રૂ મેમ્બર્શનું પણ સ્ક્રિનિંગ કરાશે
ગુજરાતના બંદરો પર દેશના ત્રીજા ભાગનો માલ કાર્ગોથી આવે છે, ત્યારે દરિયાઈ માર્ગથી ચીનમાં ફેલાયેલો જીવલેણ કોરોના વાઈરસ રાજ્યમાં ન ફેલાય તે માટેની સાવધાની રાખવામાં આવી રહી છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડે બધા પોર્ટ પર સ્ક્રિનિંગ મશીન મૂકી દીધા છે, જેથી દરિયાઈ માર્ગે રાજ્યમાં આવતા લોકોનું સ્કેનિંગ કરી શકાય.
હેલ્થ વિભાગ દ્વારા દરેક એન્ટ્રી પોર્ટ પર સ્કેનિંગ કરાઈ રહ્યુ
કંડલા બંદર પર ચીન, હોંગકોંગ અને સીંગાપોરથી મોટી સંખ્યામાં જહાજો, ક્રૂ અને પેસેન્જર આવતા હોય છે. માટેજ હેલ્થ વિભાગ દ્વારા દરેક એન્ટ્રી પોર્ટ પરથી વાયરસને ભારતમાં દાખલ થતો રોકવા માટે શીપિંગ વિભાગ પણ સતત મોનિટરીંગ કરી રહ્યો છે.
શું કહે છે ગુજરાત મેરીટાઈમ વિભાગ?
ગુજરાતના મેરીટાઈમ વિભાગ દ્વારા કંડલા પોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશ ( PHO) ને બધા પાઈલોટ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશન અધિકારીઓને હેલ્થ એડવાઈઝરીનું ચુસ્ત પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. અને ( Port Health Organization )PHOના ક્લિયરન્સ વિના કોઈપણ જહાજને પોર્ટ પર આવવા નહીં દેવાય.
શંકાસ્પદ પેસેન્જર્શ અને ક્રૂ મેમ્બર્શનું પણ સ્ક્રિનિંગ કરાશે
આ એડવાઈઝરીમાં શંકાસ્પદ લાગતા પેસેન્જર્સ સાથે ક્રૂ મેમ્બર્સનું પણ સ્ક્રીનિંગ કરવા માટે કહેવાયું છે. બધા GMB ( Gujarat Maritime Board )પોર્ટ ઓફિસમાં માસ્ક્ર રાખવા તથા કોરોના વાઈરસ માટે થર્મલ સ્ક્રીનિંગ લગાવવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી ચીનથી આવેલા 39 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે.