JNUના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે તો જીગ્નેશ મેવાણીએ પણ આગામી ચૂંટણી કોંગ્રેસના નેજા હેઠળ લડવાની જાહેરાત કરી છે ત્યારે મંત્રી જીગ્નેશન મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
જિગ્નેશ મેવાણી મામલે વાઘાણી બોલ્યા
ગમતા પક્ષમાં જવાનો તમામને હક
મેવાણી પર આડકતરા કર્યા પ્રહાર
જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવવાના છે તે મામલે ભાજપના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ પોતાનો મત વ્યકત કર્યો છે.
જિગ્નેશ મેવાણી કોંગ્રેસના એક એજન્ટ : જીતુ વાઘાણી
વાઘાણીએ કહ્યું કે, જેને જે પક્ષ ગમતો હોય તે તેમાં જાય તેવો તમામને હક છે. જિગ્નેશ મેવાણી એક એજન્ટ તરીકે અપક્ષમાં ચૂંટણી લડ્યા અને અમે પહેલાથી જ કહેતા હતા કે તે કોંગ્રેસમાં છે માત્ર હવે તેનો ખુલાસો કર્યો છે.
દિલ્હીના શહીદ પાર્ક ખાતે ભગતસિંહની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા
બંન્ને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થતાં પહેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહીદ ભગતસિંહ પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગતસિંહની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી.
જીગ્નેશન મેવાણીએ કહ્યું-
હું અમુક કારણોસર સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે નથી જોડાયો, પરંતુ વિચારો સાથે જોડાયો છું, આ સાથે જ તેમણે વધુમાં એમપણ કહ્યું કે, આગામી ચૂંટણી કોંગ્રેસના બેનર હેઠળ જ લડીશ
પંજાબ કોંગ્રેસની ઉથલપાથલ શાંત થવાની રાહ જોવાતી હતી
છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને નેતાઓ કોંગ્રેસમાં શામલ થવાના છે. આ બંને નેતા પંજાબ કોંગ્રેસમાં જે ધમાસાણ ચાલી રહ્યું હતું તેને શાંત થવાની રાહ જોઈ રહ્યા હતા. આવતીકાલે શહીદ ભગતસિંહની જન્મજયંતીના રોજ ચતેઓ કોંગ્રેસમા સદસ્ય બનશે. જેનાથી કોંગ્રેસને ઘણો ફાયદો તઈ શકે છે. જો કે, ચિંતાજનક વાત એ પણ છે કે, આજે નવજોત સિંહ સિદ્ધુએ આજે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી એકાએક રાજીનામું ધરી દેતા પંજાબના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ જોવા મળી છે.
લોકસભા ચૂંટણી પર કોંગ્રેસની નજર
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી છે. જેથી 2024માં તેઓ સત્તા હાંસલ કરી શકે. કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીને પાર્ટીમાં શામલ કરવાથી કોંગ્રેસને મોટો ફાયદો થશે કારણકે તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે.
2019માં કન્હૈયા કુમરા લડ્યા હતા ચૂંટણી
કન્હૈયા કુમાર વિશે જો વાત કરવામાં આવે તો તે બિહારના બેગુસરાયથી છે. વર્ષ 2019માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમ છતા પાર્ટીનું માનવું છે કે બિહારમાં નવા ચહેરા જરૂરી છે. કન્હૈયા કુમારે વિદ્યાર્થી નેતા તરીકે સંગઠન બનાવાનો અનુભવ છે. જેથી બિહાર કોંગ્રેસના નેતાન અમરિંદર સિંહનું માનવું છે કે કન્હૈયા કુમારના આવવાથી પાર્ટીને મોટો ફાયદો થશે.
આપને જણાવી દીઈએ કે 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અને જિગ્નેશ મેવાણીએ મહત્વની ભૂમીકા ભજવી હતી. હાલ હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં શામેલ થઈ ચુક્યા છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાદપમાં જોડાયા છે. જોકે હવે જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાશે જેના કારણે કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.