વડોદરાના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PSI ઉમેશ નલવાયા દુષ્કર્મ કેસમાં સલવાયા છે. પીડિતા પરીણિતાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. PSI પર આરોપ છે કે તેને 2016માં મહિલાને ધાક ધમકી આપીને જબરદસ્તી તેના છૂટાછેડા કરાવીને તેની સાથે લગ્ન કર્યા હતા.
જોકે આરોપી PIS પહેલાથી જ પરણેલો હતો. 2016માં મહિલા ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી હતી તે સમયે PSIએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. છૂટાછેડા બાદ યુવતીને ગાંધીનગર લઈ જઈને તેની સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. બાદમાં પરીણિત મહિલાને ફાર્મહાઉસમાં રાખીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપી મહિલા સાથે મારપીટ કરતો હતો. જેથી મહિલાએ કંટાળીને વડોદરામાં નોટરી સમક્ષ છૂટાછેડા લઈ લીધા હતા.
પાંચ દિવસ ગોંધી રાખી હતી અને દુષ્કર્મ આચર્યું
મહિલા દહોદમાં રહેવા આવી ગઈ હતી. જ્યાં આરોપી અવાર નવાર તેના ઘરે જઈને પરેશાન કરતો હતો. 2018માં આરોપીએ મહિલાનું અપહરણ કરીને પાંચ દિવસ ગોંધી રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. આમ કરીને આરોપીએ મહિલા આયોગમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવડાવી હતી.
ફરી એકવાર મહિલાનું અપહરણ કરીને લઈ ગયો
તાજેતરમાં પણ આરોપી ફરી એકવાર મહિલાનું અપહરણ કરીને લઈ ગયો હતો. અને બાદમાં ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. જેથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે પોલીસે કોઈ ફરિયાદ ન લેતા મહિલા હાઈકોર્ટ પહોંચી હતી. જેથી હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે આરોપી PIS વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.