ખાખીના પાવરની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે આવી જ વધુ એક ઘટના અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર જોવા મળી હતી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા PSIએ સ્પાઈસ જેટ કર્મચારીને લાફો ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી.
PSIએ સ્પાઈસ જેટ કર્મચારીને લાફો માર્યો
બોર્ડિંગ પાસ ન આપતા લાફો માર્યો
PSI-કર્મચારી વચ્ચે સમાધાન થતા ફરિયાદ નહીં
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, દિલ્હી જવા માટે મોડા પહોંચેલા PSIને સ્પાઇસ જેટના કર્મચારીએ બોર્ડિંગ પાસ આપવાની ના ભણી હતી પાડી હતી. જો કે, કર્મચારીની ના સાંભળીને ગુસ્સે ભરાયેલા PSIએ કર્મચારીને ગુસ્સામાં લાફો મારી દીધો હતો.
PSI-કર્મચારી વચ્ચે સમાધાન થયું
આ બનાવને પગલે એરપોર્ટની સુરક્ષા સંભાળતા CISFના જવાનો દોડી આવ્યા હતા અને મામલો વધુ બીચકે તે પહેલા PSI અને કર્મચારીનેસ સ્થાનિક પોલીસ હવાલે કર્યા હતા. આ બંન્નેને નજીકના પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં PSI-કર્મચારી વચ્ચે સમાધાન થતા ફરિયાદ નોંધાઇ નહોતી.
સ્પાઈસ જેટે પીએસઆઈને ફ્લાઇટમાં બેસવા ન દીધા
જો કે, એક પરિસ્થિતિ એવી પણ આવીને ઉભી રહી હતી કે, PSIએ આ પ્રકારની બબાલ સ્પાઇસ જેટના કર્મચારી સાથે કરી હોવાથી સ્પાઈસ જેટે તેમને દિલ્હીની ફ્લાઈટમાં બેસવા ન દીધા