ગુજરાતમાં ફરજ બજાવતા 53 PIની રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અલગ-અલગ જિલ્લામાં બદલી કરી છે. જેમાં અમદાવાદ શહેરમા જ ફરજ બજાવતા 12 PIની અન્ય જિલ્લાઓના શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
જેમાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે. આર પટેલની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે. જો કે તેમના પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના ગુનામાં હત્યાનો પ્રયાસ હોવા છતા ફક્ત મારામારીની ફરિયાદ તેમજ વધુ આરોપીઓ હોવા છતા ઓછા બતાવતા તેઓની બદલી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
જ્યારે બીજી તરફ શહેરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PI આર. આર. સુવેરાની સુરત શહેર અને જે. એન ચાવડાની ગીર-સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત મળતી માહીતી અનુસાર મહિલા PI પી. એમ. ગામીતની વલસાડ જ્યારે જી. એચ. પઠાણની પાટણ ખાતે બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના LCB PI દિપક ઢોલની વલસાડ તેમજ ગાંધીનગરમાં ફરજ બજાવતા એ. જે. ચૌહાણ અને CID ક્રાઇમમાં ફરજ બજાવતા બી. એલ. વડુકરની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે.
આ સાથે એફ.એમ. નાયબની CID ક્રાઇમમાં અને કે. સી. રાઠવાની અમરેલી તો બી. ડી. ગમારની પોરબંદર ખાતે બદલી કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમદાવાદ શહેરમાં ટ્રાફિકમાં ફરજ બજાવતા બી. એસ. રબારી તેમજ Cyber Crime ના PI સી. યુ. પરેવાની ACBમાં બદલી કરાઇ છે.