સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી
પોલીસ ગ્રેડ પે વધારાનો મામલો ગુંજ્યો
અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો
સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના
પોલીસના સોશિયલ મીડિયા મારફતે ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઑને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે.
હર્ષ સંઘવીએ ગ્રેડ પે બાબતે શું કહ્યું?
છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશ્યલ માધ્યમમાં ચાલી રહેલા આંદોલન અંગે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે વિષયો અને માહિતીઓ સાચી હશે અને યોગ્ય હશે તનો નિર્ણય સો ટકા લેવામાં આવશે. આ અંગે વિશ્લેષણ પણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ગ્રેડ પે માં વધારો, રજાઓ , કામનો નિયત સમય જેવી માંગો ઉભી થઈ છે અને આ માંગે દિવસે ને દિવસે સોશ્યલ માધ્યમમાં તીવ્રતા પકડી રહી છે તેવા સંજોગોમાં સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું, સામે પોલીસકર્મીઑ હાલ સોશિયલ મીડિયા પર #GradePay નામે પોસ્ટ શેર કરવામાં આવી રહ્યું છે.
પોલીસકર્મીની માગણીમાં શું?
પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના પોલીસકર્મીને ફરજોના કલાકો નક્કી કરવામાં નથી આવતા.
કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી
લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનોની આતુરતાનો અંત આવ્યો છે. LRD ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવાંમાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઑ તેમને હાલ મળી રહેલા હક્કને લઈ લડાઈના મૂડમાં છે. ગ્રેડ પે સિવાય અન્ય કેટલીક માંગો પણ સરકાર સમક્ષ સોશિયલ મીડિયા થ્રુ મૂકી રહ્યા છે.અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત એકતા પરેડ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપેના કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હાજર રહ્યા હતા. જેમાં તેમણે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે તેવી વાત કરી છે.