ગુજરાત રાજ્ય ગરમ પ્રદેશ છે. અહી ખેડૂતોનો પાક વારંવાર પાણીની નિષ્ફળ જાય છે. એવામાં રાજ્યમાં ભાગ્યે જ બનતી એક ઘટનામાં રાજ્યના ખેડૂતો લીલા દુકાળમાં ફસાયા છે. મેઘરાજા પ્રસન્ન થઇને મબલક વરસ્યા બાદ હવે કોપાયમાન થયા હોય એમ વરસી રહ્યા છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ લાંબો ચાલતા પાકને વ્યાપક નુકશાન
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 183 ટકાથી વધુ વરસાદ
સરકાર અને એજન્સીઓ દુકાળના સર્વેમાં કામે લાગી
મેઘરાજા હવે ખમૈયા કરો મહારાજ, CM રૂપાણીનું આ વાક્ય ગુજરાતના તમામ ખેડૂતો માટે સોના સમુ વિધાન છે. કારણ ગુજરાતમાં આ વખતે 146 ટકા વરસાદ થયો છે. જેને રાજ્યના અનેક જિલ્લાઓમાં લીલો દુકાળ સર્જ્યો છે. મેઘરાજા આ વખતે યમરાજા બનીએ પધાર્યા હોય તેવું લાગી રહ્યું છે.
દુષ્કાળ માટે પ્રચલિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તો આ વખતે 180 ટકા કરતાં પણ વધુ વરસાદ પડતાં લીલો દુકાળ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 238 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સરકારે પણ અધિકારીઓને ખેડૂતોના પાકની નુકશાનીનો પણ સર્વે કરવા આદેશ આપ્યા છે.
વિસ્તાર
વરસાદ ટકાવારીમાં
કચ્છ
181
દક્ષિણ ગુજરાત
140
સૌરાષ્ટ્ર
183
ઉતર ગુજરાત
117
મધ્ય ગુજરાત
126
રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 146 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ 32.63 ઈચ સામે 42.92 ઈંચ વરસાદ નોંધાયો છે. 91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો હતો જયારે ૫ જીલ્લાના ૭૫% ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.
ભારતીય હવામાન ખાતાએ ભારતને ૩૬ વિભાગોમાં વહેંચ્યું છે જે પૈકી મોટાભાગના વિભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં સામાન્ય કરતા ઘણો જ વધારે વરસાદ નોંધાયો છે.