રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા 12 ઓગસ્ટથી રાજ્યભરમાં દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી ડીલર્સ દ્વારા નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત આવતીકાલે રાજ્યના પેટ્રોલપંપ ડિલર્સ પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસો.નો વિરોધ
ડિલર્સ ઓસોસિએશને ગુરુવારને બ્લેક ડે જાહેર કર્યો
આવતીકાલે રાજ્યના પેટ્રોલપંપ ડિલર્સ પેટ્રોલ-ડીઝલની નહી કરે ખરીદી
ગુજરાતમાં એક બાદ એક થઈ રહેલા આંદોલન વચ્ચે રૂપાણી સરકારનું ટેન્શન વધી રહ્યું છે. પહેલા ડોકટરો, પછી શિક્ષકો અને હવે પેટ્રોલ પંપના માલિકો આંદોલનના રસ્તે આવી ગયા છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે પેટ્રોલ પંપ એસોસિએશનને કમિશન વધારાની માંગ કરી છે. 1 ઓગસ્ટ 2017થી કમિશન ન વધ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગ્રાહકોને પડશે તકલીફ
ત્યારે આવતીકાલે સમગ્ર ગુજરાતના ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના સભ્યો આજે રાતના 12 વાગ્યાથી આવતીકાલના 12 વાગ્યા સુધી ટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. તો આ સાથે જ ગુજરાતના 75 ડિલર્સ કાળા કપડાં પહેરીને ઉપવાસ આંદોલન પણ કરવાના છે. ડિલર્સના આ પ્રકારના વિરોધને પગલે બપોરે 1 થી 2 વાગ્યા સુધી CNGનું વેચાણ પણ દરેક પેટ્રોલ પંપ પર બંધ રહેશે. તો ગ્રાહકોને પણ તકલીફ ભોગવવાનો વારો આવશે.
કેમ પેટ્રોલ પંપ માલિકો આંદોલનના રસ્તે?
રાજ્યના પેટ્રોલ પંપ માલિકોએ આંદોલનનો માર્ગે પકડ્યો છે. વધતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે કમિશન ડબલ કરવાની માગણી કરી રહ્યા છે. દર વર્ષે કમિશન વધારવાનો નિયમ હોવાથી એસોસિએશન પેટ્રોલ, ડીઝલ અને CNG કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે 1 ઓગસ્ટ 2017થી કમિશન વધારવામાં આવ્યું નથી જે નિયમથી વિરુદ્ધ છે, જો નિયમ પ્રમાણે કમિશન વધારવામાં આવે તો હાલની સ્થિતિએ મળતા કમિશનથી ડબલ કમિશન મળી શકે છે. જેથી સરકારનું ધ્યાન દોરવા પેટ્રોલ પંપ માલિકો આંદોલનના માર્ગે છે. હાલ પેટ્રોલમાં રૂ.3, ડિઝલમાં રૂ.2 અને CNG રૂ. 1.75 રૂપિયા કમિશન મળે છે.
પેટ્રોલ પંપ એસો. શું કર્યો નિર્ણય?
ઘણા સમયથી પેટ્રોલ પંપ એસો. વધુ કમિશનની માગણી કરી રહ્યું છે. પણ સરકાર દ્વારા માંગ સંતુષ્ટ ન થતાં હવે કેટલાક નિર્ણયો લઈ સરકારએ ધેરવાની તૈયારી કરી રહ્યું છે જેમાં હાલ પેટ્રોલ પંપ એસોસિએશન 12 ઓગસ્ટથી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે, જેમાં રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપ માલિકોનું સમર્થન છે. સાથે જ માંગ ન સ્વીકારાય ત્યાં સુધી બપોરે 1 થી 2 CNGનું પણ વેચાણ નહીં થાય તેવો નિર્ણય એસો દ્વારા લેવામાં આવ્યો છે.
વધારે કમિશનની માગથી કોને ફાયદો કોને નુકશાન?
હાલ દેશ સહિત રાજ્યમાં ઈધણ મામલે એવી સ્થિતિ સર્જાઇ છે કે 100 આંકડાને પેટ્રોલ ડીઝલ આંબી રહ્યું છે. આ પણ કોરોનાને કારણે ધંધા રોજગાર ઠપ્પ છે અને સરકારને કેટલાક આકારા નિર્ણય લેવા પડી શકે તેમ છે. આથી જો કમિશન વધારાની માગ પર મહોર મારવામાં આવે તો પેટ્રોલ પંપ માલિકોની લોટરી લાગી શકે છે. સામે જો કમિશન વધે તો આડકતરી રીતે લોકો પર બોજ પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સરકાર વચ્ચેનો રસ્તો કાઢી જો રાજ્યના ઈધણના ટેક્સ ઘટાડી કમિશન આપે તો થોડી મુશ્કેલી ઓછી થઈ શકે છે. પણ ગુજરાત સરકારની તિજોરીમાં મોટાભાગની રકમ આ ટેક્સમાંથી આવતી હોવાથી આ રસ્તો પણ કઢીન દેખાઈ રહ્યો છે. તો હવે જોવું એ રહ્યું છે.