રાજકોટમાં કમોસમી વરસાદ બાદ ફરી મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. જુના યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ ગઇ છે. ત્યારે મગફળીની ખરીદી સાથે ખેડૂતો પણ મૂંઝવણમાં છે. કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી પલળી ગઇ છે. ત્યારે પલળેલી મગફળી ખરીદશે કે નહીં તેને લઇ ખેડૂતો ચિંતામાં છે. હાલ રાજકોટ જિલ્લાના 11 કેન્દ્રો પર ખરીદી શરૂ કરી દેવાઇ છે.
રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
કમોસમી વરસાદને કારણે ખરીદી અટકાવાઇ હતી
90 દિવસ સુધી મગફળીની ખરીદી થશે
ગુજરાતમાં આજથી ફરી ટેકાના ભાવે મગળફીની ખરીદી શરૂ થઇ રહી છે. અન્ન - પુરવઠા વિભાગ દ્વારા મગફળી ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી અટકાવવામાં આવી હતી. જો કે હવે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ રહી છે જેમાં 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે.
સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે
હાલમાં જ પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે સરકાર દ્વારા 90 દિવસ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદશે. રાજ્યના 145 સેન્ટરમાં મગફળી ખરીદીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
સરકાર ખેડૂત દીઠ 2500 કિલો મગફળી ખરીદશે
નાફેડ પ્રતિ મણ રૂપિયા એક હજાર 18ના ભાવથી મગફળી ખરીદશે. પ્રથમ તબકકે ખેડૂત દીઠ 2500 કિલો ગ્રામ મગફળી ખરીદશે. ખેડૂતો પાસેથી 8 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. 4 લાખ 44 હજાર ખેડુતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટેશન કરાવ્યુ છે.
અત્યાર સુધી 23.26 ટન મગફળીની ખરીદી થઇ
જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ મગફળીની ખરીદી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 23.26 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી. 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે. સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં 14 ખેડૂતોએ મગફળી વેચી છે. 2.80 મેટ્રિક ટન મગફળીની સરકારે ખરીદી કરી છે.