પંચમહાલમાં સગી માતાએ બે બાળકોને કૂવામાં નાંખી દેતા ચકચાર મચી ગયો હતો. જનેતા જ બાળકોના કાળ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પિતા અને પરિવારનું આંક્રદ કેમે કરીને રોકાતુ નહતુ અને ગામ આખુ સ્તબ્ધ થઈ આ ગોઝારી ઘટનામાં સ્તબ્ધ હતુ.
પંચમહાલમાં માતાએ 2 બાળકોની હત્યા કરી
રાયણ વાડિયા ગામે 2 બાળકોની હત્યા
7 વર્ષ અને 9 વર્ષના બાળકોને કુવામાં ફેંકીને કરી હત્યા
પંચમહાલમાં માતાએ જ પોતાના 2 બાળકોની હત્યા કરી નાખી. પંચમહાલના રાયણવાડિયા ગામમાં માતાએ 2 બાળકોની હત્યા કરી નાખી. માતાને એવો તે કેવો કાળ ચઢ્યો કે પેટના જણ્યાને આમ કુવામાં ફેંકી દીધા?
કેમ કરી બાળકોની હત્યા
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા માતાએ 7 વર્ષ અને 9 વર્ષના બાળકોને કુવામાં ફેંકી દીધા. ત્યારે આ અંગે પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કૂવામાં ડુબી રહેલા બાળકોના મૃતદેહ બહાર કઢાયા
કૂવામાં ડુબી ગયેલા બાળકોના મૃતદેહ બહાર કઢાતાની સાથે જ ગામ હિબકે ચઢ્યુ હતુ. બે માસૂમની જીંદગી તેમની જ માતાએ છીનવી લીધી હતી.