પંચમહાલના છાણીપ પાસે નોરતાની નવમે ગરબા રમીના પરત ફરી રહેલા છોકરાઓનો છાણીપ ચોકડી પાસે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં ત્રણ યુવકના મોત થયા હતા.
શહેરા તુલકાના છાણીપ ચોકડી અને ચાંદણગઢ પાસે બે બાઈક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. જેમાં 3 યુવાનો કાળનો કોળિયો બની ગયા હતા. આ અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તંત્ર પણ તુરંત જ બચાવ કામગીરીએ લાગી ગયુ હતુ.
પોલીસ અને 108 સહિતનો બચાવ કાફલો ટુંક જ સમયમાં ત્યાં પહોંચી ગયા હતા પણ હતભાગી યુવાનોને બચાવી નહોતા શકાયા. આ અંગે યુવકોના પરિજનોએ હૈયાફાટ રૂદન કરતા આસપાસના રહિશોનું પણ કાળજુ કંપી ગયુ હતુ. નવરાત્રીની રાતે ગરબાની મજા લઈને પરત ફરી રહેલા યુવાનો હવે ક્યારેય ઘરે પરત નહી આવે.