ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યના પાલનપુરના કાણોદર ગામમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગામમાં એક સાથે 50 કોરોના સંક્રમિત આવતાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
કોરાના મહામારીનો પ્રકોપ હવે શહેરથી લઇને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી જોવા મળી રહ્યો છે. લોકડાઉન બાદ અનલોક દરમિયાન આપવામાં આવી રહેલી છૂટછાટના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.
રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કાણોદર ગામમાં કોરોનાને લઇને વિસ્ફોટ થયો છે. ગામમાં 300 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
જેમાં ચિંતાનજક એક સાથે 50 કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જો કે ટેસ્ટ વધતા કોરોના સંક્રમિતોની સંખ્યા વધી જતાં ગ્રામજનો દ્વારા 10 દિવસ માટે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગેનો નિર્ણય લીધો છે.
આમ તંત્ર માટે હવે એક તરફ શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે.