કચ્છ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ બોર્ડર પર તણાવભરી સ્થિતિ છે. ત્યારે કચ્છના નુંધાતડ ગામે એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આશંકા છે કે આ ડ્રોન પાકિસ્તાનનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ત્યારે વાયુસેનાના સ્ટેશન નજીક આ શંકાસ્પદ ડ્રોન નજરે પડતા તેને તોડી પાડવામાં આવ્યુ છે. ત્યારે સુરક્ષા એજન્સીઓને પણ અલર્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં વાયુસેનાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સીમામાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, 12 મિરાઝ વિમાનોએ આ હુમલો કર્યો છે. 21 મિનીટમાં વાયુસેનાએ 1 હજાર કિલો બોમ્બ વિસ્ફોટ કર્યા છે. પીઓકેમાં ત્રણ આતંકી સંગઠનનો પણ વાયુસેનાએ ખાતમો બોલાવ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, વાયુસેનાએ જૈશ, લશ્કર અને હિઝબુલના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. જૈશના સૌથી મોટા કેમ્પનો પણ વાયુસેનાએ ખાતમો બોલાવ્યો છે. એવું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે 300 જેટલા આતંકીનો હુમલામાં ખાતમો બોલાવવામાં આવ્યો છે.
પુલવામા હુમલાના બાર દિવસ બાદ ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાતા પાકિસ્તાનમાં હાલ ડરનો માહોલ છે. તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે, ભારતીય સેનાની એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના પાંચ જવાનો પણ ઠાર મરાયા છે. બીજી તરફ, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે પોતાની સેનાને સમન્સ મોકલ્યો છે અને ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી છે.