કંપનીએ પોતાનું કામ કરાવીને નફો રળી લીધા પછી યુવાનોને સેલેરી ન આપી એટલું જ નહીં પણ ત્રણ મહિનાથી સેલેરી માટે ભટકી રહેલા યુવાનોનું વચનામૃત કન્સલ્ટન્સી સાંભળતી નથી. દિવાળી સમયે પણ મહેનતના નાણાં ન મળતા યુવાનો પરેશાન છે. યુવાનો માલિકના ઘરે રજૂઆત કરવા ગયા તો માલિકે ખોટો કેસ કરી દીધો હતો.
બેરોજગાર યુવાનો સાથે ઠગાઈ
કામ કરાવી લીધું પણ સેલેરી ન આપી
દિવાળી સમયે આ દર્દ કોણ સાંભળશે?
ગુજરાતમાં બેફામ બનેલી આઉટસોર્સિંગ કંપનીઓનો વધુ કેટલાક યુવાનો ભોગ બન્યા છે. અમદાવાદની વચનામૃત કન્સલ્ટન્સીએ સેલેરી આપ્યા વિના કંપની બંધ કરી દીધી છે. ભરત ચૌધરી અને અંકિત પીઠડિયા વચનામૃત કન્સલ્ટન્સીના માલિક છે . કંપનીએ પોતાનું કામ કરાવીને નફો રળી લીધા પછી યુવાનોને સેલેરી ન આપી એટલું જ નહીં પણ ત્રણ મહિનાથી સેલેરી માટે ભટકી રહેલા યુવાનોનું વચનામૃત કન્સલ્ટન્સી સાંભળતી નથી. દિવાળી સમયે પણ મહેનતના નાણાં ન મળતા યુવાનો પરેશાન છે. યુવાનો માલિકના ઘરે રજૂઆત કરવા ગયા તો માલિકે ખોટો કેસ કરી દીધો હતો.
યુનિવર્સિટી પોલીસ પણ યુવાનોની મદદ કરવાના બદલે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસે યુવાનોની તરફેણમાં માલિક પાસેથી પગાર કરી દેવાની બાંયેધરી લખાવી હતી. પોલીસ મને કશું જ નહી કરી શકે જેવા શબ્દો ઉપયોગ કરીને યુવાનોને પરેશાન કરે છે.
સળગતા સવાલ
ગુજરાતમાં કેમ બેફામ બની રહી છે આઉટસોર્સિંગ કંપનીઓ ?
કોણ કંટ્રોલમાં રાખશે આઉટસોર્સિંગ કંપનીઓને ?
દિવાળી સમયે આઉટસોર્સિંગ કંપનીઓ કેમ કરી રહી છે હોળી ?
કર્મીઓને પગારમાં આપવામાં કેમ કરી રહી છે ગલ્લા તલ્લા ?
કેમ તહેવારોમાં આપતી નથી લોકોના પરસેવાની કમાણી ?
તહેવારમાં પગાર માટે કેમ કર્મચારીઓ મારી રહ્યાં છે વલખાં ?