ઉનાળામાં ચારે દિશામાંથી પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા જહેમત કરી રહી છે. પાણી ક્યાંથી લાવવું તે એક પ્રશ્ન ઊભો જ છે. બરાબર તેવા સમયે વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે વિશાળ જળરાશિ નદીમાં વહાવી દેવામાં આવી છે. આ જથ્થો જોઈને ખેડૂતો મનમાં જ બોલી રહ્યા છે. કદાચ જરૂરિયાતના સમયે આ પાણી મળ્યું હોત ! જોઈએ આ અહેવાલ.