ઉનાળામાં ચારે દિશામાંથી પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા જહેમત કરી રહી છે. પાણી ક્યાંથી લાવવું તે એક પ્રશ્ન ઊભો જ છે. બરાબર તેવા સમયે વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે વિશાળ જળરાશિ નદીમાં વહાવી દેવામાં આવી છે. આ જથ્થો જોઈને ખેડૂતો મનમાં જ બોલી રહ્યા છે. કદાચ જરૂરિયાતના સમયે આ પાણી મળ્યું હોત ! જોઈએ આ અહેવાલ.
ઉપરની આ બે વિરોધાભાસી તસવીરો જળવ્યવસ્થાપનની ખામીનો બોલતો પુરાવો છે. રાજ્યમાં એક તરફ અનેક ગામોમાં પાણીની તંગીએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. પીવાના પાણી માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે. સ્થાનિક જળસોર્સ સૂકાઈ ગયા છે. બરાબર તેવા સમયે જ સરકારને વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરવાનું મુહૂર્ત મળ્યું છે.
વાસણાબેરેજના દરવાજાના સમારકામ માટે સરકારે સાબરમતી નદીમાં રહેલું પાણી છોડી દીધું છે. નદી ખાલી કરીને સરકાર હવે ચોમાસા પહેલા વાસણા બેરજના દરવાજા 1 કરોડના ખર્ચે રિપેર કરશે. હાલ સાબરમતી નદીનું આ પડતર પાણી હેઠવાસના ગામોના તળાવોમાં કેનાલો વાટે ઠાલવવામાં આવી રહ્યું છે.
અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ કરવાનું હોવાથી નદીને ખાલી કરવામાં આવી રહી છે.જો કે ચોમાસાની તૈયારીઓ ના ભાગરૂપે બેરેજના દરવાજાનું કામ ચાલી રહ્યું છે.
વાસણા બેરેજના કામને લઈને સાબરમતી નદીનું પાણી ખાલી કરવામ આવી રહ્યું છે. એક તરફ ખેડૂતોએ જ્યારે સિંચાઈના પાણી માટે આંદોલન કર્યું છતાં પાણી આપવામાં ન આપ્યું. હાલ ખેડૂતોના ખેતરમાં એવી ખાસ વાવણી નથી એટલે પાણીની જરૂર નથી.
ત્યારે માત્ર વાસણા બેરેજના દરવાજાની કમગીરી માટે લાખો ગેલન પાણી એમનામાં જ વેડફાઈ રહ્યું છે. સિંચાઇ વિભાગના સમય અને વ્યવસ્થાપનના અભાવે ક સમયે પાણીનો આટલો મોટો જથો એમજ કેનોલોમાં વહી રહ્યો છે. પાણીના ક સમયના આ વહેણને ખડૂતો વેડફાટ ગણી રહ્યા છે.
નદી ખાલી કરવા અને બરેજ દરવાજાનું સમારકામ કરવા પાણી તો પાણી તો કેનાલમાં વહેતું કરાયું છે. પરંતુ આ પાણી ખેડૂતો માટે ઉપયોગ માં લઈ શકાય તેમ નથી. જે પાણી છોડાયું છે તે લીલ અને અનેક પ્રકારની અશુદ્ધિ વાળું પાણી છે. જે સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે હવે છોડી દેવાયું છે.
હાલ પાણીનો આ વિશાળ જથો 7 તળાવ એટલે કે સાણંદ ના ગોરજ, શ્રીનગર, ફાંગળી, ખીચા અને બાવળાના સાજલડા ભાત રૂપાલમાં પૂરું પાડવાનો નિર્ણય કરાયો છે. જો કે આ પાણીથી તળાવમાં ઠલવાશે તેનાથી માત્ર ભૂગર્ભ જળસ્તરમાં વધારો થઈ શકે તેવી આશા સિવાય બીજું કશી આશા રાખી શકાય તેમ નથી. ખેડૂતો કહે છે કદાચ આટલું પાણી વહેલું છોડવામાં આવ્યું હોત તો!