અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ, સારી વાત એ છે કે હજુ સુધી ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ થયું નથી
આજે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના 50 કેસ
ઓમિક્રોનને માત આપીને 16 દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદમાં ઓમિક્રોનના 34 કેસ
ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિમાં અત્યાર સુધીના સૌથી વધુ ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાય છે. એક દિવસમાં 50 કેસ ઓમિક્રોન પોઝિટિવ આવતા લોકો સહિત તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ઓમિક્રોનને માત આપીને આજે 16 દર્દી ડિસ્ચાર્જ થતાં સાજા થવાનો આંકડો 112 પર પહોંચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ સામે આવતા હવેના આવનાર દિવસોમાં ભયંકર સ્થિતિ સામનો કરવો પડશે તેવુ દેખાઈ રહ્યું છે. કોરોના કેસ બાદ ઓમિક્રોન કેસમાં અમદાવાદ નંબર 1ની સ્થતિએ હોટસ્પોટ સાબિત થયું છે. અમદાવાદમાં ઓમિક્રોનના 34 કેસ, આણંદમાં 3 કેસ,ખેડામાં 4 કેસ, વડોદરામાં ઓમિક્રોનના 5 કેસ, સુરતમાં 3 કેસ, કચ્છમાં આજે વધુ એક કેસ ઓમિક્રોનનો નોંધાયો છે.
કઇ તારીખે કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા
50 કેસ- 5 જાન્યુઆરી 2022
02 કેસ- 4 જાન્યુઆરી 2022
16 કેસ- 3 જાન્યુઆરી 2022
0 કેસ- 2 જાન્યુઆરી 2022
23 કેસ- 1 જાન્યુઆરી 2022
16 કેસ - 31 ડિસેમ્બર 2021
ગુજરાતમાં આજે 3350 કોરોના કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ત્રીજી લહેરના સુનામી મોજા શરૂ થઈ ચૂક્યા છે આજે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 690 કેસ તો વડોદરામાં 181, કેસ અને રાજકોટમાં 159 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતા હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. આજે કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન અપાઈ છે. કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.