મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે શ્રમિકોને તેમના વતનમાં પરત બોલાવવા મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા રાજનીતિ ગરમાઇ છે. બાલાસાહેબ થોરાટે ટ્વીટના માધ્યમથી ગુજરાતની રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમારું પડોશી ભાજપશાસિત રાજ્ય ગુજરાત મુંબઇમાં મહિનાઓથી ફસાયેલા પોતાના શ્રમિકોને પરત બોલાવવામાં ખચકાટ અનુભવી રહ્યું છે. આ શ્રમિકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
મહારાષ્ટ્રમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોનો મુદ્દો દિનપ્રતિદિન ગંભીર બની રહ્યો છે.. મહારાષ્ટ્ર સરકાર ગુજરાત પરત ફરવા માંગતા શ્રમિકોનો ખર્ચ ઉઠાવવા પણ તૈયાર છે.. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્રના આ પ્રસ્તાવ છતાં ગુજરાત સરકાર શ્રમિકોને સ્વીકારી રહી નથી.. ગુજરાત સરકારે મુંબઇમાં ફસાયેલા અને પોતાના વતન કચ્છમાં સામખિયાળી પોતાના વતન જવા માંગતા 1200 શ્રમિકોને આવવાની પરવાનગી નથી આપી.
मुंबईहून सम्बियाली (कच्छ) गुजरातला जाणाऱ्या 1200 गुजराती बांधवांच्या प्रवासाला गुजरात सरकारने अजूनही परवानगी दिलेली नाही. याशिवाय ओडीसा, प. बंगाल, कर्नाटक या राज्यांकडून स्थलांतरित मजुरांना प्रवेश देण्यास टाळाटाळ केली जात आहे.
કોંગ્રેસના આરોપ મુજબ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બાલાસાહેબ થોરાટ તથા ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ દ્વારા મુંબઈથી કચ્છ આવવા માગતા કચ્છીજનો માટે ટ્રેનની વ્યવસ્થાની વિધિવત દરખાસ્ત કરાઈ છે.પરંતુ મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી છે પણ ગુજરાત સરકાર આ બાબતે રાજકીય કિન્નાખોરી દાખવી મંજૂરી માટે હજી સુધી ગંભીર નથી. આવી મહામારીના સમયે રાજકીય કિન્નાખોરી શોભાસ્પદ નથી. જેથી ત્વરિત મંજૂરી અપાય તેવી માંગ કરી હતી. આ ઉપરાંત કચ્છમાં હાલમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડવાનો પ્રશ્ન વિકટ બન્યો છે.