ગુજરાતમાં કોરોનાથી મોતનો દર ડરામણો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કોરોના પોઝિટિવના કેસ ગુજરાત કરતા વધારે નોંધાયા છે પણ ગુજરાતમાં દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ મોતની સરેરાશ જોઈએ તો ગુજરાત નંબર વન ઉપર છે. સબસલામતાના દાવા વચ્ચે ક્યાંક ગુજરાત કોરોનાનો ગઢ ન બની જાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
ગુજરાતમાં મૃત્યુદર 6 ટકા
મહારાષ્ટ્રમાં 3.5 ટકા
ગુજરાતમાં અમદાવાદ મોખરે
20મી સુધીના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 12,539 કેસ છે જેની સામે 749 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ નંબર 1 પર છે. 749 મોતમાં માત્ર અમદાવાદમાં 602 મોત એકલા અમદાવાદમાં છે.
ગુજરાતમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો અને સરકાર દ્વારા લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા છે અને ત્યાર બાદ તમિલનાડુ અને ગુજરાતનો નંબર છે. પરંતુ મોત મામલે ગુજરાત બીજા નંબરે છે. જોકે રિકવરીની બાબતે પણ ગુજરાત આગળ છે. 41 ટકા રિકવરી રેટ સાથે ગુજરાત કોરોનાને હરાવવા પ્રયાસ કરી રહ્યુ છે.
આંકડાકિય રીતે જોવા જઈએ તો ગુજરાત નંબર વન
મહારાષ્ટ્રમાં 100 પોઝિટિવ વ્યક્તિએ મૃત્યુદર 3.5 ટકા છે જ્યારે ગુજરાતમાં દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ મૃત્યુદર 6 ટકા છે. દેશમાં દર 100 પોઝિટિવ વ્યક્તિએ મોત જોઈએ તો પણ 3 ટકા જ છે.
કોરોનાથી મોત મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં અમદાવાદ કરતા ત્રણ ગણા કેસ છે પરંતુ તેમ છતાં મોત મામલે લગબગ બે ગણા છે જ્યારે તમિલનાડુમાં તો ગુજરાત કરતા મોતનો આંકડો ખાસ્સો કંટ્રોલમાં છે. ગુજરાતમાં 12539 કેસમાં 749 લોકોના મોત છે જ્યારે તમિલનાડુમાં 13191 કેસ સામે ફક્ત 88 મોત છે.