બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 PM, 10 May 2025
વડોદરામાં કોર્પોરેશનના કમાટી બાગમાં મોટી દુર્ઘટના ઘટી છે. કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જતા જંબુસરની 5-7 વર્ષની દીકરીનું મોત થયું છે. અત્રે જણાવીએ કે, પરિવાર સાથે ફરવા આવેલી બાળકી ખતીજા પઠાણનું દુ:ખદ અવસાન થયું છે.
ADVERTISEMENT
જોય ટ્રેનની સંચાલક કંપની ખોડલ કોર્પોરેશનના મેનેજરનું નિવેદન
ADVERTISEMENT
બાળકી પોતાના પરિવાર સાથે ફરવા આવી હતી. આ બનાવના પગલે જોય ટ્રેનની સંચાલક કંપની ખોડલ કોર્પોરેશનના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ટ્રેન જતી હતી ત્યારે બાળકી ટ્રેન પર ચડવા ગઈ હતી ત્યારે બાળકીનો પગ લપસી જતા બાળકી નીચે પડી ગઈ હતી, ત્યારબાદ બાળકીના માતાપિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ટ્રેન બંધ કરીને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી'
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, IPL 2025 પર મોટું અપડેટ, જુઓ આજના મોટા સમાચાર
બેદરકારીના કારણે વધુ એકનું મોત!
અત્રે જણાવીએ કે, ફરી એકવાર વડોડરામાં બેદરકારીના કારણે એકનું મોત થયું છે. ત્યારે બેદરકારીને લઈ ફરી તંત્ર પર સવાલો ઉભા થયા છે. જો કે, અત્યારે તો બનાવને લઈ પરિવાજનોમાં શોકનો માહોલ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.