બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણ વિભાગનો નિર્ણય, સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના
Last Updated: 05:06 PM, 9 May 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સરહદી જિલ્લામાં શિક્ષકોને જિલ્લા હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય, પોલીસ, મહેસુલના અધિકારીઓ પછી શિક્ષકોને પણ રજા કેન્સલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શિક્ષકોની પણ રજા કેન્સલ કરાઈ
વર્તમાન યુદ્ધની સ્થિતિને લઈ જિલ્લાકક્ષાએ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય, પોલીસ, મહેસુલના અધિકારીઓ પછી શિક્ષકોને પણ રજા નહીં આપવામાં આવે. તો બનાસકાંઠામાં સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રિના 8 કલાક પછીના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથો સાથ સતર્કતાને લઈ બનાસકાંઠામાં કોઇપણ ઇસમને મજૂર તરીકે રાખવામાં આવે ત્યારે તેની માહિતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
અફવાઓથી દૂર રહો
લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવો. ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર જાણ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.