બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / પાકિસ્તાનના ડ્રોન એટેકનો નાપાક પ્રયાસ નિષ્ફળ, ગુજરાતના ભુજ સહિત 15 શહેરો હતા ટાર્ગેટ પર

ઓપરેશન સિંદૂર / પાકિસ્તાનના ડ્રોન એટેકનો નાપાક પ્રયાસ નિષ્ફળ, ગુજરાતના ભુજ સહિત 15 શહેરો હતા ટાર્ગેટ પર

Last Updated: 03:35 PM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND PAK War: પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. જેમાં ગુજરાતના ભુજથી લઈને દેશના વિવિધ લશ્કરી ઠેકાણાને નિશાને બનાવ્યા હતા.

પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. 07-08 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

જોકે, ભારતીય સેનાએ UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાઓની પુષ્ટિ કરે છે. આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે.

ભારતનો પલટવાર

ભારતે આ હુમલાનો જવાબ એ જ રીતે, એ જ તીવ્રતાથી અને એ જ વિસ્તારમાં આપ્યો છે. આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના અનેક એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાહોરની એક એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ભારતે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેણે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી મુખ્યાલયને નિશાન બનાવ્યું નથી અને હવે પણ ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ વધારવાનો નથી પરંતુ જવાબ આપવાનો છે.

Vtv App Promotion 1

LOC પર દારૂગોળોનો ફરી એક વરસાદ

સરહદ પર પણ સતત ગોળીબાર ચાલુ છે. પાકિસ્તાને કુપવાડા, બારામુલ્લા, પૂંછ, મેંધાર, રાજૌરી જેવા વિસ્તારોમાં મોર્ટાર અને ભારે તોપમારો કર્યો છે. આ ઘૃણાસ્પદ ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ ભારતીય નાગરિકોના મોત થયા.

વધુ વાંચો: ભારતને વધુ એક મોટી સફળતા, પાકિસ્તાનનો સૌથી મોટો આતંકી રઉફ અઝહર ઠાર

ભારતે યોગ્ય જવાબ આપ્યો

ભારતનો સંદેશ સ્પષ્ટ છે કે "અમે escalation નથી માંગતા, પરંતુ જવાબ આપતા આવડે". ભારતીય સેનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી. પરંતુ જો તેના લશ્કરી ઠેકાણાઓ અથવા નાગરિકો પર હુમલો થશે, તો ભારત જવાબ આપવામાં શરમાશે નહીં. આ જ કારણ છે કે LoC પર પાકિસ્તાનના દારૂગોળાનો જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND PAK War Operation Sindoor Gujrat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ