બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'દેશ શોકાતુર હોઈ ત્યારે....', ભાજપ મહિલા મોરચાના બર્થડે સેલિબ્રેશન પર કોગ્રેસ નેતાના આકરા પ્રહાર
Last Updated: 12:41 PM, 26 April 2025
પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતને લઇને હજુ દેશભરમાં શોક વ્યાપેલો છે તેની વચ્ચે રાજકોટમાં મહિલા મોરચા દ્વારા અંજલિ રૂપાણીના બર્થ ડેના સેલિબ્રેશનને લઇને વિવાદ વકર્યો છે. આ મામલે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે દેશ શોકાતુર હોયત્યારે આવી ઉજવણી ન કરવી જોઇએ.તેમણે કહ્યું કે મોતનો મલાજો જળવાવવો જોઇએ..
ADVERTISEMENT
આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે આતંકવાદને કારણે બીજી કોઇપણ પાર્ટી કરતા કોંગ્રેસે ઘણુ ગુમાવ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી સરકારની સાથે ઉભી છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
ADVERTISEMENT
મહત્વનું છે કે ભાજપ મહિલા મોરચાએ પહેલા રાજકોટના કિસાનપરામાં પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપી હતી અને બાદમાં મહિલા મોરચો કેક લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીના ત્યાં બર્થ ડે સેલિબ્રેશન માટે પહોંચ્યો હતો અને ત્યાં કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.