બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Last Updated: 07:27 PM, 18 April 2025
રાજ્યમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટનાથી મોત થયાની વિગતો સામે આવી છે. જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે આ ઘટના બની હતી. જે દરિયમાન મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થઈ હતી.
ADVERTISEMENT
ગેસ ગળતરની ઘટનામાં સાળા-બનેવીનું મોત
ADVERTISEMENT
ભેંસાણના રામપુર ગામમાં ગેસ ગળતરની ઘટનામાં સાળા-બનેવીનું મોત થયું છે. ધર્મેન્દ્ર કુબાવતના ઘરે 2 મજૂરો સેફટી ટેંક સાફ કરવા આવ્યા હતા તે દરમયાન ગેસ ગળતરથી મોત થયા હતા જેમાં મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકાની ટેક્સ છૂટ
મકાન માલિકને પણ ઝેરી ગેસની થઈ અસર
વિગતે વાત કરીએ તો, એક શ્રમિકને ઝેરી ગેસની અસર થતાં તેના બચાવવા માટે બીજો શ્રમિક ટેંકમાં ઉતર્યા હતા, તે પણ બેફામ થઈ હતા ત્યારબાદ ત્રીજો વ્યક્તિ જતા તે પણ બેફાન થઈ ગયા હતા, આમ આજુ બાજુથી લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન આ તમામ લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે બે વ્યક્તિને મૃત્યુ જાહેર કરી દીધા હતા જ્યારે એકની સારવાર ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.