બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'હું સ્પષ્ટ સૂચના આપું છું કે...', ગૃહ રાજ્યમંત્રીની બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને ચેતવણી
Last Updated: 02:21 PM, 26 April 2025
પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ઓળખીને દેશની બહાર કરવાની ઝૂંબેશ મોટાપાયે શરૂ કરી દેવાઇ છે.. જે અંતર્ગત અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસનું આ આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.
ADVERTISEMENT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય. નહીંતર કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે આવા તમામ લોકો જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરે, નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. તેમણે કહ્યું કે જે ઘૂસણખોરને જે આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ VIDEO : દેશમાં એક તરફ શોકનો માહોલ, ત્યારે ભાજપનો મહિલા મોરચો ઉજવણીમાં વ્યસ્ત
ADVERTISEMENT
બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ શહેરોમાં રહેતા લોકોને વીણી વીણીને પોલીસ પકડી રહી છે. અગાઉ ઝડપાયેલા બાંગ્લાદેશી લોકોમાં અનેક એવા હતા જે ડ્રગ્સ કાર્ટિગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હતા ઉપરાંત કેટલાક અલકાયદા માટે સ્લીપર શેલ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદમાં 890 ગેરકાયદે બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. જેમાં 470 પુરુષ અને બાકી મહિલા અને બાળકો છે. સુરતમાં પણ 135 ગેરકાયદેસર બાંગલાદેશી નાગરિકોની અટકાયત કરાઇ છે. સ્થાનિક પોલીસે કેન્દ્રીય એજન્સીને સાથે રાખી તમામની પુછપરછ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.