બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ વતન પરત ફર્યા, ઘરના સભ્યોને જોઈને પરિવારજનો થયા ભાવવિભોર
Last Updated: 02:29 PM, 26 April 2025
પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ કશ્મીરમાં અટવાયેલા ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે. આજે વડોદરા જિલ્લાથી કાશ્મીરના પ્રવાસે ગયેલા મુસાફરો સ્પેશિયલ ટ્રેનમાં પરત ફર્યા હતા..સરકારે તેમના માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી હતી.વડોદરા જિલ્લાના વાઘોડિયાના કેટલાક લોકો મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા.. મહિલાઓ અને બાળકો સિહત કુલ 18 વ્યક્તિઓ હતા જે ત્યાં અટવાયા હતા તેઓ હેમખેમ પરત ફર્યા.
ADVERTISEMENT
કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પરત ફરતા જ પરિજનો ભેટી પડ્યાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 26, 2025
(પહેલગામમાં હુમલો થયા બાદ અનેક ગુજરાતીઓ કાશ્મીરમાં ફસાઈ ગયા હતા. ત્યારે હવે ગુજરાતીઓ પોતાના વતન પરત ફરતા જ પરિજનો ભેટી પડ્યા હતા. પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.)#banaskantha #PahalgamTerroristAttack #jammukashmir… pic.twitter.com/R9yruqGiDU
તે જ રીતે બનાસકાંઠાના 20 યાત્રિકો પણ ગુજરાત ફરત ફર્યા છે. પાલનપુરના મીરા દરવાજા વિસ્તારના રહેવાસીઓ જમ્મુ-કાશ્મીર પ્રવાસે ગયા હતા , જેઓ આતંકી હુમલાની ઘટના બાદ હવે પાછા ફર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO : દેશમાં એક તરફ શોકનો માહોલ, ત્યારે ભાજપનો મહિલા મોરચો ઉજવણીમાં વ્યસ્ત
પરત ફરેલા લોકોની આંખોમાં આંસુ હતા.. રેલવે સ્ટેશન પર તેમને લેવા માટે તેમના પરિવારજનો હાજર હતા.. બાળકો ડરી ગયેલા હોવાથી ઘરે જવાની જીદ કરતા જોવા મળ્યા હતા. પરત ફરેલા લોકોએ આર્મીની ખુબ પ્રશંસા કરી હતી અને આર્મીએ તેમને ખુબ મદદ કરી હોવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.