બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'ભાજપની આંતરિક લડાઇને સમાજ પર ઠોકી બેસાડવી યોગ્ય નથી', ગોંડલ વિવાદ મુદ્દે પાટીદાર અગ્રણી મેદાનમાં
Last Updated: 12:51 PM, 28 April 2025
ગુજરાતના તમામ સમાચારોમાં રવિવારે ગોંડલ ટોચ પર રહ્યું હતું.. રવિવારે ગોંડલમાં અલ્પેશ કથીરીયાના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો સામે-સામે આવી ગયા હતા.. ગાડીઓના કાચ પણ તૂટ્યા અને કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ થયાની ફરીયાદો પણ થઇ... એક જ પાર્ટીના આ બે નેતાઓ વચ્ચેનું ઘર્ષણ ખુબજ ચર્ચામાં છે..
ADVERTISEMENT
અલ્પેશ કથીરીયા પાટીદાર છે અને ગણેશ જાડેજા ક્ષત્રિય છે.. કેટલાક લોકોએ આને ક્ષત્રિય નેતાઅને પાટીદાર નેતા વચ્ચેની લડાઇ ગણાવી પરંતુ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું કહેવું છે કે ગોંડલની ઘટના રાજપૂતો-પાટીદારોની હતી જ નહીં.
પરષોતમ પીપળીયાએ કહ્યું કે આ એક વર્ચસ્વની લડાઇ છે. એક પરિવારનું ગોંડલમાં વર્ચસ્વ છે તેને તોડવાની લડાઇ છે. તેમણે કહ્યું કે કોઇપણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું હવે આવી બન્યું! સુરત, વડોદરા સહિતના શહેરોમાં મેગા કોમ્બિંગ પૂરજોશમાં
તેમણે કહ્યું કે ગોંડલમાં જે હિંસા થઇ તે નહોતી થવી જોઇતી.. તેમણે કહ્યું કે પોલીસને જાણ હતી છતા આગોતરુ આયોજન કર્યુ નહીં, સાથે જ કહ્યું કે ગોંડલમાં ગઇકાલે જે કંઇ થયું તેના પરથી સાબિત થયું કે ગોંડલ મિર્જાપુર છે. તેમણે એમ પણકહ્યું કે પોલીસ પણ સત્તાધારી પક્ષના લોકો દ્વારા જે કહેવામાં આવે તે મુજબ જ કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.