બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
Last Updated: 03:06 PM, 12 June 2025
ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, લંડન જઈ રહેલા આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. માહિતી અનુસાર, વિજય રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પ્લેન ક્રેશ: ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત#cmbhupendrapatel #HomeMinister #AmitShah #ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital pic.twitter.com/S1Y6g5w3Gg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
મળતી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અંગત સ્ટાફ એરપોર્ટ પર જવા રવાના થયો. તેમણે ઓફ કેમેરા તેમની ફ્લાઈટનો સમય અલગ હોવાનું કહ્યું. સાથે જ લંડન જવાની વાતને કન્ફર્મ કરી, જોકે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો.
ADVERTISEMENT
અમદાવાદમાં 242 પેસેન્જર્સ સાથેનું Air Indiaનું પ્લેન ક્રેશ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
પ્લેનમાં સવાર પૂર્વ CM વિજય રૂપાણી પણ ઇજાગ્રસ્ત#excmvijayrupani #vijayrupani #ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews… pic.twitter.com/ii5UHD2SHO
ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
જુઓ અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયા બાદનો પ્રથમ Exclusive વીડિયો#ahmedabad #ahmedabadpolice #meghaninagar #airindia #airindiaplane #planecrash #planecrashnews #planecrashed #livevideo #breakingnews #vtvdigital pic.twitter.com/LSXXKfRVfk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2025
મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તરત જ મેઘાણીનગર નજીક ક્રેશ થયું. 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું. પ્રાથમિક વિગતો મુજબ 50 જેટલા લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી હડકંપ, જુઓ લાઈવ દ્રશ્યો
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.