આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ તો થઈ ગયો છે પરંતુ રાજ્યમાં દોઢ કરોડ પાસે PUC (Pollution Under Control)નથી ત્યારે બે મહિનાથી આ બીલ પાસ થઈ જવા છતાં સરકાર તરફથી કોઈ પગલા ન લેવાતા માત્ર પ્રજાની જ નહીં પરંતુ તંત્રની બેદરકારી પણ સામે આવી છે.
દોઢ કરોડથી વધુ લોકો પાસે નથી PUC
રાજ્યમાં 1000 PUC સેન્ટરો હોવાનો તંત્રનો દાવો
બે મહિના પહેલાથી નવા મોટર વ્હીકલ એક્ટનું બિલ પાસ થઈ ગયું હતું
આજથી પરિવહન મંત્રી ફળદુની પણ અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ છે. પર્યાપ્ત સમય છતાં ગુજરાત પરિવહનની ઘોર બેદરકારી સામે આવી છે. હાલ રાજ્યમાં પીયુસી મામલે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે તેના જેવો ઘાટ ઘડાયો છે. બે મહિના પહેલાથી નવા મોટર વ્હીકલ એક્ટનું બિલ પાસ થઈ ગયું હતું ત્યારથી જ પરિવહન ખાતાને જાણ હતી કે રાજ્યમાં દોઢ કરોડથી વધુ વાહનોના PUC નથી તો તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલા લેવાયા નહતા એટલું જ નહીં પરંતુ જાણ થયા બાદ પણ લોકોની સગવડ માટે કોઈ નવા PUC સેન્ટર ઊભા નથી કરવામાં આવ્યા. ત્યારે જાહેર જનતા આ માટે ધક્કે ચઢી છે.
વાહનો-PUC સેન્ટરની સંખ્યા વિના લેવાયો નિર્ણય
રાજ્યમાં દોઢ કરોડથી વધુ PUC ન હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. આજથી નવા ટ્રાફિક રૂલ્સના અમલને કારણે જરૂરી દસ્તાવેજો માટે વાહનચાલકોની દોડધામ કરી રહ્યા છે. વીમો અને PUC માટે વાહનચાલકોની હડીયાપાટો વધી ગઈ છે. વાહનો-PUC સેન્ટરની સંખ્યા અંગે કોઈ જાણકારી કે સંશોધન કર્યા વિના જ નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ચર્ચા-વિચારણા વિના અમલવારી કરાતા લોકો હેરાન
સરકારની અપૂરતી સુવિધાને લઈને પણ લોકો હેરાન થઈ રહ્યા છે. રાજ્યમાં 1000 PUC સેન્ટરો હોવાનો તંત્રનો દાવો કરી રહ્યુ છે પણ PUC સેન્ટર ઉપર લાંબી લાંબી કતારોને લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તંત્રના આ અધુરા રીસર્ચને કારણે જ PUCની સમયસીમામાં વધારો કરવો પડી રહ્યો છે. PUC કઢાવવા 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.