રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6,447 નવા કેસ નોંધાયા છે, તો 67 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં રસીકરણ આજે બંધ રખાયું હતું
ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
24 કલાકમાં કોરોનાના 6,447 નવા કેસ સાથે 67 દર્દીના થયાં મોત
તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6,447નવા કેસ નોંધાયા છે, તો 67 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામા ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9269 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9557 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,60,489 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 755 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 96,443 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. મહત્વનું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં રસીકરણ આજે બંધ રખાયું છે. જેને લઈ કોઈ નવા આંકડાઓ સામે આવ્યા નથી.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1862 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 33 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 322 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 144 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 442 કેસ, જ્યારે ગ્રામ્યમાં 197 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 187 કેસ અને ગ્રામ્યમાં 103 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....