કોરોના વાઇરસનું ગ્રહણ નવરાિત્રને પણ નડ્યું છે, જેના કારણે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી કે પછી શેરી ગરબાનું આયોજન થવાનું નથી. આજે નવરાિત્રની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કોઇ ગરબા ન કરે તેના માટે પૂરતું આયોજન કરી દીધું છે. જો શહેરના કોઇ પણ ખૂણે ગરબા થયા તો પોલીસ તરત જ પહોંચી જશે અને ખૈલયાઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશે.
કોરોનાની મહામારીના પગલે કેન્દ્ર સરકારની ધાર્મિક તહેવારો અંગે રજૂ કરાયેલી ગાઈડ લાઇન્સના આધારે ગુજરાતમાં પણ માત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના-સ્થાપના કરવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન પ્રમાણે કોઈ પણ સ્થળે જાહેર કે શેરી ગરબા કરવામાં આવશે નહીં, માત્ર આરતી કરવા માટેની મંજૂરી લેવી.
માતાજીની આરતી કરવા માટે સોસાયટીના રહીશોએ નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરીને ખાસ પ્રકારની મંજૂરી મેળવી છે. આજે સવારથી પોલીસ કર્મચારીઓએ સોસાયટીઓ-ફ્લેટમાં જઇ આયોજન સ્થળની મુલાકાત લીધી છે. આજે રાતે આરતીમાં ભાગ લેવા માટે વધુમાં વધુ ૨૦૦ લોકો માસ્ક પહેરીને હાજર રહેશે, જ્યારે માતાજીના આરતી-સ્થાપના, મૂર્તિ-ફોટાને દર્શનાર્થીઓ સ્પર્શ કરી શકશે નહિ અને યોગ્ય ડિસ્ટન્સથી દર્શન કરે તે સુનિશ્ચિત કરવું.
માતાજીની આરતી બાદ જો કોઇ વ્યકિત ગરબા કરશે તો પોલીસ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે. સેક્ટર-રના જોઇન્ટ કિમશનર ગૌતમ પરમારે જણાવ્યું છે કે આરતી માટે મંજૂરી આપવામાં આવી છે, જો કોઇ ગરબા રમતાં પકડાઇ જશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાતથી પોલીસ સાદાં કપડાંમાં તહેનાત રહેશે અને શેરી, સોસાયટી-ફ્લેટમાં સતત ખાનગી વાહનમાં પેટ્રોિલંગ કરશે.
પેટ્રોલિંગ દરમિયાન જો કોઇ ગરબા કરતાં પકડાશે તો તરત જ જાહેરનામા ભંગ બદલ તમામની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવશે. આ સિવાય પણ માતાજીની આરતી દરમિયાન પોલીસ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેિકંગ કરશે, જેમા સરકારની ગાઇડ લાઇનનું ઉલ્લઘન કર્યું હશે તો તેમણે પણ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.
આરતીમાં ભાગ લેવા માટેના નિયમો
• પ્રસાદ આપતી વખતે માસ્ક અને હેન્ડ ગ્લોઝ ફરજિયાત પહેરવાં પડશે
• પૂજા-આરતીમાં ભાગ લેનાર તમામ લોકોએ માસ્ક ફરિજયાત પહેરવાં પડશે
• આરતીના સ્થળે હેન્ડવોશ, સેિનટાઇઝર, થર્મલ સ્કેનિંગ ગનની સુવિધા ફરિજયાત રાખવાની રહેશે.
• કાર્યક્રમ સ્થળ, ખુરશી-માઇક વગેરે વસ્તુઓને સમયાંતરે સેિનટાઇઝ કરાવવાનાં રહેશે
• કાર્યક્રમ દરમિયાન જાહેરમાં થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ
• ૬૫થી વધુ વયનાં અને ૧૦ વર્ષથી ઓછી ઉંંમરનાં બાળકો, સગર્ભા તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આ પ્રકારના સમારોહમાં ભાગ નહીં લઇ શકે
• ચા-નાસ્તા-ભોજનની વ્યવસ્થા નહિ રાખતાં આ સ્થળથી થોડા દૂરની જગ્યાએ રાખી શકાશે.